શિક્ષિકાના અયોગ્ય વર્તનને કારણે પાલનપુરની શાળામાં વાલીઓએ કરી તાળાબંધી

પાલપુરની સ્વમાન નગર શાળામાં બાળકોને ભણાવતી એક શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓને કરવામાં આવતી હેરાનગતિના ભાગ રૂપે વાલીઓ રોષે ભરાઇને તાળાબંધી કરી હતી.

શિક્ષિકાના અયોગ્ય વર્તનને કારણે પાલનપુરની શાળામાં વાલીઓએ કરી તાળાબંધી

પાલનપુર: પાલનપુરમાં વાલીઓ દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. પાલપુરની સ્વમાન નગર શાળામાં બાળકોને ભણાવતી એક શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓને કરવામાં આવતી હેરાનગતિના ભાગ રૂપે વાલીઓ રોષે ભરાઇને તાળાબંધી કરી હતી. આ શાળામાં ભણાવતા નસીબાબાનું નામની શિક્ષિકા બાળકો અને વાલીઓને હેરાનગતિ કરતી હોવાની અવાર-નવાર ફરિયાદ કરવામાં આવી હતી. જેની બદલી અંગે અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ તેની બદલી ન થતા રોષે ભરાયેલા વાલીઓએ જ્યાસુધી આ શિક્ષિકાની બદલી નહિ થાય ત્યાં સુધી શાળાઓમાં તાળાબંધી કરવામાં આવી છે. પાલનપુર વિસ્તારમાં શાળાને તાળાબંધી કરવાના બનાવો બની રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news