શિક્ષણમંત્રીએ આસારામની સંસ્થાને શુભેચ્છા સંદેશ આપતાં વિવાદ

બળાત્કારના ગંભીર ગુનામાં જેલમાં કેદ એવા આસારામની સંસ્થાને રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ એક કાર્યક્રમ બાબતે શુભેચ્છા સંદેશો પાઠવ્યો છે, જેના કારણે તેઓ વિવાદમાં ફસાઈ ગયા છે 

શિક્ષણમંત્રીએ આસારામની સંસ્થાને શુભેચ્છા સંદેશ આપતાં વિવાદ

હીતલ પારેખ/ ગાંધીનગરઃ શિક્ષણ મંત્રીએ આસારામની સંસ્થાને એક શુભેચ્છા સંદેશો પાઠવતાં નવો વિવાદ સર્જાયો છે. આસારામ આજે જ્યારે યુવતી સાથે બળાત્કારના ગંભીર ગુનામાં જેલમાં કેદ છે ત્યારે તેની સંસ્થાને શિક્ષણ મંત્રીએ શુભેચ્છા સંદેશો આપતાં લોકો નારાજ થયા છે. 

રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહે આસારામની સંસ્થા યોગ વેદાંત સેવા સમિતિને સંબોધીને એક પત્ર લખ્યો છે. શિક્ષણ મંત્રીએ પોતાના શુભેચ્છા સંદેશમાં સંસ્થા દ્વારા આયોજિત એક કાર્યક્રમની પ્રશંસા કરી છે અને લખ્યું છે કે, "તમારી સંસ્થા દ્વારા થઈ રહેલા આ ઉમદા કાર્ય માટે મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું."

શિક્ષણ મંત્રીએ પોતાના સરકારી લેટરપેડ પર 28/1/2019ના રોજ આ શુભેચ્છા સંદેશો પાઠવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news