ગુજરાતમાં EDની કાર્યવાહી : મની લોન્ડરિંગ કેસમાં IRS અધિકારીની ધરપકડ, અન્ય કેસમાં કંપની પર તવાઈ

money laundering : એજન્સીએ માહિતી આપી છે કે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં તૈનાત ઈન્કમ ટેક્સ વિભાગના ભૂતપૂર્વ એડિશનલ કમિશનર સંતોષ કરનાનીને PMLA એક્ટ હેઠળ 2 જૂને અટકાયતમાં લેવામાં આવ્યા
 

ગુજરાતમાં EDની કાર્યવાહી : મની લોન્ડરિંગ કેસમાં IRS અધિકારીની ધરપકડ, અન્ય કેસમાં કંપની પર તવાઈ

Enforcement Directorate : ગુજરાતમાં બે કેસોમાં કાર્યવાહી કરતી વખતે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એક IRS અધિકારીની ધરપકડ કરી છે. જ્યારે GST ચોરીના સંબંધમાં ગુજરાતમાં એક કંપની પર દરોડા પાડીને 29 લાખ રૂપિયાની રકમ વસૂલ કરી હતી. ગાંધીનગરમાં તૈનાત આઈઆરએસ અધિકારીની અગાઉ સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 30 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપસર ગુજરાતમાં તૈનાત આવકવેરા વિભાગના અધિકારીની ધરપકડ કરી છે. એજન્સીએ માહિતી આપી છે કે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં તૈનાત ઈન્કમ ટેક્સ વિભાગના ભૂતપૂર્વ એડિશનલ કમિશનર સંતોષ કરનાનીને PMLA એક્ટ હેઠળ 2 જૂને અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ મની લોન્ડરિંગ કેસ સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર સાથે સંબંધિત છે. કોર્ટે કરનાનીની 9 જૂન સુધી EDને કસ્ટડી આપી છે.

સીબીઆઈએ ધરપકડ કરી હતી
કરનાનીની થોડા સમય પહેલા સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં જેલમાં છે. EDએ અમદાવાદની PMLA કોર્ટમાં પૂછપરછ માટે કરનાનીની કસ્ટડીની માંગણી કરી હતી. એજન્સી દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર કોર્ટે કરનાનીને 9 જૂન સુધી ED કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આરોપ છે કે સંતોષ કરનાનીએ આંગડિયા પેઢી પાસેથી 30 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને પછી લાંચ લીધી હતી. આ પેઢીનું નામ ધારા આંગડિયા છે. મની લોન્ડરિંગ હેઠળ કેસ નોંધ્યા બાદ EDએ કહ્યું છે કે સમગ્ર મામલાનો પર્દાફાશ કરવા માટે સંતોષ કરનાનીની પૂછપરછ કરવી જરૂરી છે. આથી ઇડીએ અમદાવાદની સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં અરજી કરી હતી. આ પછી EDએ સંતોષ કરનાનીની 9 જૂન સુધી કસ્ટડી મેળવી છે.

કંપની પર દરોડા, 29 લાખની વસૂલાત
અન્ય એક કાર્યવાહીમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુજરાત સ્થિત કંપની દ્વારા રૂ. 122 કરોડની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ચોરીના સંબંધમાં રૂ. 29 લાખ રોકડા જપ્ત કર્યા છે. એજન્સીએ તેના નિવેદનમાં જણાવ્યું છે કે તેણે તાજેતરમાં કથિત GST ચોરી સંબંધિત મની લોન્ડરિંગ તપાસ દરમિયાન કેટલાક શહેરોમાં દરોડા પાડ્યા છે. નાણાકીય તપાસ એજન્સી EDએ મોહમ્મદ એજાઝ બોમર અને અન્યો સામેના કેસમાં 2 જૂને અમદાવાદ, ભાવનગર, બોટાદ, ગાંધીધામ ઉપરાંત મુંબઈ અને બેંગલુરુમાં 25 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું.

ED એ ગુજરાતના ભાવનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરના આધારે પીએમએલએની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. EDએ કહ્યું કે આ મામલામાં પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ, આરોપીઓએ સરકારી યોજનાઓનો લાભ આપવાનું વચન આપીને અનેક લોકોના આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર બદલી નાખ્યા. બાદમાં તેમણે આધારની વિગતોના આધારે PAN અને GST રજિસ્ટ્રેશન મેળવ્યું હતું. ઇડીએ ચાર્જશીટને ટાંકીને જણાવ્યું હતું કે કુલ 461 શેલ કંપનીઓનો ઉપયોગ રૂ. 1,102 કરોડના બોગસ બિલ જારી કરવા માટે કરવામાં આવ્યો હતો. આ કેસમાં 122 કરોડ રૂપિયાની કરચોરી થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news