અમદાવાદમાં શરદ પવાર અને ગૌતમ અદાણી વચ્ચે બેઠક, અડધો કલાક વાત ચાલી, છ મહિનામાં ત્રીજી મીટિંગ

Gautam Adani : NCP વડા શરદ પવાર અમદાવાદમાં... જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નિવાસ સ્થાને મળવા પહોચ્યા.... ગૌતમ અદાણીના નિવાસ સ્થાને બંને વચ્ચે બેઠકની ચર્ચા... શરદ પવારની ગૌતમ અદાણી સાથેની બેઠકથી અનેક તર્ક વિતર્ક
 

અમદાવાદમાં શરદ પવાર અને ગૌતમ અદાણી વચ્ચે બેઠક, અડધો કલાક વાત ચાલી, છ મહિનામાં ત્રીજી મીટિંગ

Sharad Pawar : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અને પૂર્વ કૃષિ મંત્રી શરદ પવાર ફરી એકવાર ગૌતમ અદાણીને મળ્યા છે. અમદાવાદ આવેલા શરદ પવાર તેમને મળવા ગૌતમ અદાણીના ઘરે પહોંચ્યા હતા અને ત્યારબાદ બંને વચ્ચે લગભગ 30 મિનિટ સુધી વાતચીત થઈ હતી. એનસીપીના નેતાઓનું કહેવું છે કે આ મુલાકાત વ્યક્તિગત હતી.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની ફરી મુલાકાતની માહિતી બહાર આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી. શરદ પવાર એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા ગૌતમ અદાણીને મળવા પહોંચ્યા હતા. એનસીપી તૂટ્યા બાદ બંનેની આ બીજી મુલાકાત છે. અગાઉ શરદ પવાર અને ગૌતમ અદાણી 2 જૂન 2023ના રોજ મળ્યા હતા. આ પહેલાં તેઓ એપ્રિલમાં ગૌતમ અદાણીને મળ્યા હતા જ્યારે હિંડનબર્ગ રિપોર્ટને લઈને અદાણી ગ્રુપ વિપક્ષના નિશાના પર હતું. શરદ પવાર અમદાવાદ પહોંચી રહ્યાની તસવીર સામે આવી છે. તેમની પાર્ટીના નેતા જયંત પટેલ ઉર્ફે બોસ્કી પણ ત્યાં હાજર છે.

છ મહિનામાં ત્રીજી બેઠક

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શરદ પવાર અને ગૌતમ અદાણીની અમદાવાદમાં મુલાકાત થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવાર એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા ગૌતમ અદાણીને મળવા પહોંચ્યા હતા. અગાઉ, ગૌતમ અદાણી અને શરદ પવાર 20 એપ્રિલ 2023 ના રોજ મુંબઈમાં મળ્યા હતા, શરદ પવાર અને ગૌતમ અદાણી વચ્ચે 2 કલાક સુધી વાતચીત થઈ હતી. આ બેઠક ત્યારે થઈ જ્યારે ગૌતમ અદાણી હિંડનબર્ગ કેસને લઈને ચર્ચામાં હતા. આ પછી, 2 જૂન 2023 ના રોજ શરદ પવાર અને ગૌતમ અદાણી વચ્ચે બીજી મુલાકાત થઈ, જેમાં તેઓએ અડધા કલાક સુધી ચર્ચા કરી. અમદાવાદમાં બંને વચ્ચેની મુલાકાત અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

પવાર ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા
સૂત્રોના જણાવ્યા અનુસાર, NCP સુપ્રીમો શરદ પવાર અમદાવાદમાં પૂણેના એક બિઝનેસમેનની ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. આ પછી તેઓ અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણીને મળવા ગયા હતા. હિંડનબર્ગ રિપોર્ટના સમયે જ્યારે ગૌતમ અદાણી વિપક્ષના નિશાના પર હતા ત્યારે શરદ પવારે કહ્યું હતું કે હિંડનબર્ગ કેસમાં વિપક્ષની જેપીસીની માંગ નકારી હતી. પવારે એમ પણ કહ્યું હતું કે અગાઉ પણ ઘણી જેપીસીની રચના કરવામાં આવી હતી. હું પણ આનો વડા રહ્યો છું, પરંતુ આમાં માત્ર બહુમતી ગણવામાં આવે છે, તેથી સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂક કરવામાં આવેલી સમિતિ વધુ યોગ્ય રહેશે. પવારે કહ્યું હતું કે હિંડનબર્ગ કોઈપણ રીતે વિદેશી હતો. શા માટે આપણે તેના અહેવાલને વધુ મહત્વ આપવું જોઈએ?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news