GUJARAT CORONA UPDATE: નવા 23 કેસ, 14 દર્દી રિકવર, જૂનાગઢમાં એક મોત

રાજ્યમાં કોરોનાના નવા 23 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 14 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,776 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 5,12,552 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 

GUJARAT CORONA UPDATE: નવા 23 કેસ, 14 દર્દી રિકવર, જૂનાગઢમાં એક મોત

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના નવા 23 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 14 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,776 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 5,12,552 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 180 એક્ટિવ કેસ છે. જે પૈકી 03 નાગરિકો વેન્ટીલેટર પર છે. 177 સ્ટેબલ છે. 8,15,776 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે. 10083 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને મોત નિપજ્યાં છે. આજે જૂનાગઢમાં એક વ્યક્તિનું મોત થયું છે. વલસાડમાં કુલ 7 કેસ આવ્યા છે, સુરત કોર્પોરેશનમાં 5 કેસ આવ્યા છે. સુરતમાં 3, ખેડામાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, અમદાવાદ કોર્પોરેશન, જૂનાગઢ, નવસારી અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 કેસ સામે આવ્યા છે. આ પ્રકારે કુલ 23 કેસ આવ્યા છે. 

રસીકરણના મોરચે પણ સરકાર સતત મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 18 ને પ્રથમ જ્યારે 3899 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 44568 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 94760 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષ સુધીના 139609 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 2,29,698 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 5,12,552 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં 6,25,22,653 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news