GUJARAT CORONA UPDATE: નવા 36 કેસ, 16 દર્દી સાજા થયા, 1નું મોત

ગુજરાતમાં આજે કોરોનાના નવા 36 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 16 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,726 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે કુલ 3,42,151 ડોઝ રસીના આપવામાં આવ્યા હતા.
GUJARAT CORONA UPDATE: નવા 36 કેસ, 16 દર્દી સાજા થયા, 1નું મોત

ગાંધીનગર : ગુજરાતમાં આજે કોરોનાના નવા 36 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 16 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,726 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે કુલ 3,42,151 ડોઝ રસીના આપવામાં આવ્યા હતા.

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 331 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટિલેટર પર છે જ્યારે 326 સ્ટેબલ છે. 8,16,726 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. આજે વલસાડમાં 1 નાગરિકનું મોત થયું છે. 10091 નાગરિકોનાં મોત થઇ ચુક્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશન 8, નવસારી 4, સુરત કોર્પોરેશન 3, આણંદ, જામનગર અને મહેસાણામાં 2-2 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર કોર્પોરેશન, કચ્છ, સાબરકાંઠા, સુરત અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે. 

જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 8ને રસીનો પ્રથમ જ્યારે 1575 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 10821 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 80507 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 31438 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 217802 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે 3,42,151 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,65,59,351 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news