GUJARAT CORONA UPDATE: 58 દિવસ બાદ 15 જિલ્લામાં કેસ નોંધાતા તંત્ર દોડતું થયું

GUJARAT CORONA UPDATE: 58 દિવસ બાદ 15 જિલ્લામાં કેસ નોંધાતા તંત્ર દોડતું થયું
  • GUJARAT CORONA UPDATE: 48 નવા કેસ, 24 રિકવર થયા, 1 નું મોત

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના 48 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 24 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 8,17,263 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.74 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહ્યા છે. રાજ્યમાં આજે 1,39,589 રસીના ડોઝ અપાયા હતા. જો કે કોરોનાના સતત વધી રહેલા આંકડાથી સરકાર પણ ચિંતિત છે. આ ઉપરાંત કોરોનાના એમિક્રોન વેરિયન્ટનાં સતત વધી રહેલા આંકડાઓ પણ સરકાર માટે ચિંતાનો વિષય છે. 

જો રાજ્યનાં એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં આજે 349 એક્ટિવ કેસ છે. જે પૈકી 07 નાગરિકો વેન્ટિલેટર પર છે. 342 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,17,263 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. 10095 નાગરિકોના અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આ ઉપરાંત સુરતમાં 1 નાગરિકનું આજે મોત થયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં 17, સુરત કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશન 4, જામનગર કોર્પોરેશન 2, આણંદ, ભરૂચ, ખેડા, કચ્છ, નવસારી, રાજકોટ કોર્પોરેશન, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં 1-1 કેસ સામે આવ્યા છે. 

બીજી તરફ જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 1ને રસીનો પ્રથમ જ્યારે 591 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આ ઉપરાંત 45 વર્ષથી વધારેની ઉંમરના 4191 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 29684 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 14152 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 90970 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 1,39,583 નાગરિકોનું રસીકરણ થયું છે. અત્યાર સુધીમાં કુલ 8,28,33,719 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news