Omicron Cases: હવે ભારતમાં ઓમિક્રોનનો કહેર, મહારાષ્ટ્રમાં 7, જયપુરમાં 9 કેસ નોંધાયા, કુલ સંક્રમિતો 21

મહારાષ્ટ્રમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના વધુ સાત કેસ સામે આવ્યા છે. તો જયપુરમાં નવા 9 કેસ સામે આવ્યા છે. સાથે દેશમાં કુલ આંકડો 21 પર પહોંચી ગયો છે. 
 

Omicron Cases: હવે ભારતમાં ઓમિક્રોનનો કહેર, મહારાષ્ટ્રમાં 7, જયપુરમાં 9 કેસ નોંધાયા, કુલ સંક્રમિતો 21

મુંબઈઃ સાઉથ આફ્રિકામાં સામે આવેલા કોરોના વેરિએન્ટે હવે ભારત સહિત વિશ્વની ચિંતા વધારી દીધી છે. ભારતમાં પણ આ વેરિએન્ટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં આજે ઓમિક્રોન વેરિએન્ટના વધુ સાત કેસ સામે આવ્યા છે. તો રાજસ્થાનના જયપુરમાં નવા 9 કેસ સામે આવ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા 8 પર પહોંચી ગઈ છે. તો દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના કુલ 21 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાન સિવાય દેશમાં ઓમિક્રોનના બે કેસ કર્ણાટક, દિલ્હી અને ગુજરાતમાં એક-એક કેસ નોંધાયો છે. 

આજે ઓમિક્રોન વેરિએન્ટના સાત નવા કેસની પુષ્ટિ થઈ છે. ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થનાર એક વ્યક્તિ પુણેથી છે, જ્યારે બાકી કેસ પિંપરી-ચિંચવાડથી સામે આવ્યા છે. મહત્વનું છે કે તેમાંથી ત્રણ લોકો નાઇજીરિયાથી ભારત આવ્યા હતા, જ્યારે ત્રણ તેના સંબંધી છે. જેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા તેમાં નવા વેરિએન્ટની પુષ્ટિ થઈ છે. આ જાણકારી મહારાષ્ટ્ર સરકાર તરફથી આપવામાં આવી છે.

રાજસ્થાનમાં એક સાથે 9 કેસ સામે આવ્યા
રાજસ્થાનમાં આજે ઓમિક્રોનના 9 કેસ સામે આવ્યા છે. તેમાંથી 4 લોકો આફ્રિકાથી પરત આવ્યા હતા, જ્યારે 5 લોકો તેના સંપર્કમાં હતા. આમ રાજ્યમાં કુલ નવ ઓમિક્રોન વેરિએન્ટના કેસની પુષ્ટિ થઈ છે. તમામની સારવાર ચાલી રહી છે અને સ્થિતિ સામાન્ય છે.

મહારાષ્ટ્રમાં આંકડો 8 પર પહોંચ્યો
આ સાત નવા કેસની સાથે હવે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થનારની સંખ્યા 8 થઈ ગઈ છે. પ્રથમ કેસ મુંબઈની પાસે કલ્યાણ ડોંબિવલીથી સામે આવ્યો હતો, જ્યાં વિદેશથી પરત ફરેલ વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત મળ્યો હતો. 

દિલ્હીમાં આજે નોંધાયો એક કેસ
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યુ- દિલ્હીમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ સામે આવ્યો છે. દર્દી એલએનજેપી હોસ્પિટલમાં દાખલ હતો અને તે હાલમાં તાન્ઝાનિયાથી પરત ફર્યો હતો. અત્યાર સુધી 17 લોગો (વિદેશથી આવ્યા) કોરોનાથી સંક્રમિત મળ્યા છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. 

આ દેશમાં ઓમિક્રોનનો કુલ પાંચમો કેસ છે. પહેલા કર્ણાટકમાં બે કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ શનિવારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો એક-એક કેસ સામે આવ્યો હતો. ત્રીજો કેસ ગુજરાતના જામનગરમાં મળ્યો હતો જ્યારે ચોથો મહારાષ્ટ્રના ડોંબિવલીમાં.

આફ્રિકામાં સામે આવ્યો હતો આ વેરિએન્ટ
કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન (B.1.1.529) સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યો હતો. 25 નવેમ્બરે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને તેના વિશે જાણકારી આપવામાં આવી હતી. ડબ્લ્યૂએચઓ પ્રમાણે ઓમિક્રોનના પ્રથમ કેસની પુષ્ટિ આ વર્ષે 9 નવેમ્બરે લેવાયેલા સેમ્પલમાં થઈ હતી. 

26 નવેમ્બરે વિશ્વ આરોગ્ય સંસ્થાએ નવા વિરેએન્ટ B.1.1.529 ને ઓમિક્રોન નામ આપ્યું અને તેને 'વેરિએન્ટ ઓફ કન્સર્ન' એટલે કે ચિંતાવાળો વેરિએન્ટ ગણાવ્યો હતો. 

કોરોનાનો નવો વિરેએન્ટ સામે આવ્યા બાદ તમામ દેશોએ આફ્રિકી દેશો પર યાત્રા પ્રતિબંધ લગાવી દીધા છે. ભારત સહિત અત્યાર સુધી 38 દેશોમાં ઓમિક્રોનના સંક્રમણની પુષ્ટિ થઈ ચુકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news