GUJARAT CORONA UPDATE: નવા 7 કેસ, 14 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી

ગુજરાતમાં આજે કોરોનાના નવા 7 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 14 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,12,900 નાગરિકો હરાવી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 66,865 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 
GUJARAT CORONA UPDATE: નવા 7 કેસ, 14 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : ગુજરાતમાં આજે કોરોનાના નવા 7 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 14 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,12,900 નાગરિકો હરાવી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 66,865 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 69 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 67 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 12,12,900 નાગરિકો કોરોનાને મ્હાત આપીને ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10,942 નાગરિકોનાં મોત તઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું. આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનમાં 4 અને વડોદરા કોર્પોરેશનમાં 2 તથા વલસાડમાં 1 સહિત કુલ 7 કેસ નોંધાયા છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 3234 ને રસીનો પ્રથમ જ્યારે 17701 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 928 ને રસીનો પ્રથમ અને 5430 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 11612 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાઇ ચુક્યા છે. 12-14 વર્ષના તરૂણો પૈકી 27960 ને રસીનો પ્રથમ ડોઝ અપાઇ ચુક્યો છે. રસીના અત્યાર સુધીમાં કુલ 66,865  ડોઝ અપાઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10,62,29,682 ડોઝ અપાઇ ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news