ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, ધો.1થી 8નો કોર્સ બદલાશે! નવા 20 પુસ્તકો ભણવા પડશે

Gujarat Education News: ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ 1થી 8માં વિવિધ કોર્સમાં બદલાવ થવાની જાહેરાત કરવામાં આવી છે. હાલના પુસ્તકો રદ થશે, તો નવા 20 પુસ્તકો લાગુ પડશે. ગુજરાતી ગણિત, વિજ્ઞાન સહિતના પુસ્તકો તમામ માધ્યમોમાં બદલાશે.

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, ધો.1થી 8નો કોર્સ બદલાશે! નવા 20 પુસ્તકો ભણવા પડશે

Gujarat Education News: શૈક્ષણિક વર્ષ 2025-26ના વિદ્યાર્થી માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ 1થી 8માં વિવિધ કોર્સમાં બદલાવ થવાની જાહેરાત કરવામાં આવી છે. હાલના પુસ્તકો રદ થશે, તો નવા 20 પુસ્તકો લાગુ પડશે. ગુજરાતી ગણિત, વિજ્ઞાન સહિતના પુસ્તકો તમામ માધ્યમોમાં બદલાશે. ધોરણ 12માં અર્થશાસ્ત્રનું પુસ્તક પણ બદલાશે.

કયા ધોરણમાં કયા નવા પુસ્તકો અમલમાં આવશે

ધોરણ       પાઠ્યપુસ્તક

ધો-1-2    ગુજરાતી, ગુજરાતી દ્વિતીયભાષા.
ધો-3       ગણિત, પર્યાવરણ.
ધો-6       ગણિત,વિજ્ઞાન, સા.વિજ્ઞાન, સર્વાગી શિક્ષણ, મરાઠી.
ધો-8       વિજ્ઞાન દ્વિભાષી, ગુજરાતી પ્રથમભાષા.
ધો-12     અર્થશાસ્ત્રમાં પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણનું પ્રકરણ ઉમેરાશે.   

આગામી શૈક્ષણિક વર્ષથી ગુજરાત રાજ્યના પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા વિવિધ ધોરણમાં નવા પુસ્તકો લાગુ કરવામા આવનાર છે. પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ નવા 20 પુસ્તકો લાગુ પડશે. ગુજરાતી, ગણિત, વિજ્ઞાન સહિતના પુસ્તકો તમામ માધ્યમોમાં બદલાશે. ધોરણ 3 અને 6માં ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણમાં એનસીઈઆરટી દ્વારા જો નવા પુસ્તકો ગુજરાતી માધ્યમમાં પ્રસિદ્ધ કરાશે તો જ આગામી વર્ષથી પુસ્તકો બદલાશે. 

એનસીઈઆરટી દ્વારા ધોરણ 3 અને 6માં બે વિષયમાં નવા પુસ્તકો બહાર પડાશે. જ્યારે ધોરણ 8માં ગણિત અને વિજ્ઞાન વિષયનું પુસ્તક હવે દ્રિભાષી એટલે કે અંગ્રેજી, ગુજરાતી શબ્દાર્થ સાથે તૈયાર થનાર છે. આમ લાખોની સંખ્યામાં પુસ્તકો નવા પ્રિન્ટ કરી સ્કૂલોમાં મોકલવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news