GUJARAT CORONA UPDATE: આજે ગુજરાતમાં સૌથી વધુ મોત નોંધાયા, નવા કેસ અને રિકવરી રેટમાં મોટો ઘટાડો

હાલમાં રાજ્યમાં 83793 એક્ટિવ કેસ છે. જે પૈકી 265 વેન્ટિલેટર પર છે. જ્યારે 83528 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 1066393 ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10473 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.

 GUJARAT CORONA UPDATE: આજે ગુજરાતમાં સૌથી વધુ મોત નોંધાયા, નવા કેસ અને રિકવરી રેટમાં મોટો ઘટાડો

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવીને જતી રહી હોય તેમ અચાનક કેસ ઘટવા લાગ્યા છે. ગુજરાતમાં આજે કોરોનાના 6679 કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીની તુલનાએ ખુબ જ ઓછા હતા. બીજી તરફ 14171 દર્દીઓ રિકવર પણ થયા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 10,66,393 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 91.88 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 2,46,397 નાગરિકોનું રસીકરણ કરાયું હતું. 

આજે ગુજરાતમાં કોરોનાના 6679 કેસની વાત કરીએ તો 35 લોકોના મોત થયા છે, જ્યારે અમદાવાદમાં 2399 કેસ અને 6 દર્દીના મોત થયા છે. અનુક્રમે સુરતમાં 418 કેસ, 7 દર્દીના મોત, વડોદરામાં 1045 કેસ, 4 દર્દીના મોત રાજકોટમાં 777 કેસ, 3 દર્દીના મોત, ગાંધીનગરમાં 392, 1 દર્દીનું મોત, જામનગરમાં 134 કેસ, 1 દર્દીનું મોત, મહેસાણામાં 144 કેસ, 1 દર્દીનું મોત, ભાવનગરમાં 84 કેસ, 5 દર્દીના મોત, વલસાડમાં 65 કેસ, 1 દર્દીનું મોત, પંચમહાલમાં 58 કેસ, 2 દર્દીના મોત, અમરેલીમાં 45 કેસ, 1 દર્દીનું મોત, બોટદમાં 6 કેસ, 1 દર્દીનું મોત, દ્વારકામાં 3 કેસ, 1 દર્દીનું મોત, કચ્છમાં 211, પાટણમાં 146, મોરબીમાં 135 કેસ, બનાસકાંઠામાં 96, નવસારીમાં 89, ભરૂચમાં 79 કેસ, ખેડામાં 72, આણંદમાં 44, દાહોદમાં 33 કેસ, ગીરસોમનાથમાં 30, સાબરકાંઠામાં 29, તાપીમાં 26 કેસ, સુરેન્દ્રનગરમાં 22, નર્મદામાં 16, છોટાઉદેપુરમાં 15 કેસ, મહીસાગરમાં 9 અને અરવલ્લીમાં 2 કેસ નોંધાયા છે.

હાલમાં રાજ્યમાં 83793 એક્ટિવ કેસ છે. જે પૈકી 265 વેન્ટિલેટર પર છે. જ્યારે 83528 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 1066393 ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10473 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 35 નાગરિકોનાં મોત થયા હતા. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશન 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશન 2, વડોદરા 1, રાજકોટ 1, મહેસાણા 1, સુરત 5, જામનગર કોર્પોરેશન 1, ભાવનગર કોર્પોરેશન 2, વલસાડ 1, પંચમહાલ 2, અમરેલી 1, ભાવનગર 3, પોરબંદર 1, બોટાદ 1, દેવભૂમિ દ્વારકા 1 એમ કુલ 35 લોકોનાં મોત થયા છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) January 31, 2022

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 31 ને પ્રથમ 784 ને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 5439 ને પ્રથમ અને 15786 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 22824 ને પ્રથમ 62094 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના 26944 ને પ્રથમ 64488ને બીજો જ્યારે 48007 લોકોને પ્રીકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,46,397 રસીના ડોઝ આજે અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,79,33,236 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news