Board Exam આપનારા ધોરણ-10 અને 12ના તમામ વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર

Board Exam: આજથી ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. પરીક્ષા અંગે કેવા પ્રકારની છે તૈયારીઓ, વિદ્યાર્થીઓએ કઈ વાતની રાખવી પડશે ખાસ કાળજી વાંચો વિગતવાર તમામ માહિતી....

Board Exam આપનારા ધોરણ-10 અને 12ના તમામ વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર

Board Exam/અતુલ તિવારી, અમદાવાદઃ આજે તારીખ 14 માર્ચ 2023ને મંગળવારથી સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. પરીક્ષા અંગે કેવા પ્રકારની છે તૈયારીઓ, વિદ્યાર્થીઓએ કઈ વાતની રાખવી પડશે ખાસ કાળજી વાંચો વિગતવાર તમામ માહિતી... 29 માર્ચના રોજ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થશે. રાજ્યભરમાંથી કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 બોર્ડમાં 9,56,753, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,26,896, સંસ્કૃત પ્રથમાના 644, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના 4,305, વ્યવસાયલક્ષી પ્રવાહના 793 જ્યારે સંસ્કૃત મધ્યમાના 736 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

પરીક્ષા માટે કેવા પ્રકારની છે વ્યવસ્થા?
સમગ્ર ગુજરાતમાં 139 ઝોનમાં 1,623 કેન્દ્રો, 5,541 બિલ્ડિંગના કુલ 56,633 બ્લોકમાં પરીક્ષા યોજાશે. 66 જેટલા સેંન્સિટિવ સેંટર પર પેરા મીલીટરી ફોર્સ તૈનાત રહેશે. ધોરણ 10ની 101 અને ધોરણ 12માં 56 વિદ્યાર્થીઓ 4 અલગ અલગ જેલમાંથી પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓ, સુપરવાઈઝર કે શાળાનો સ્ટાફ પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ લઈ જઈ શકશે નહી. પરીક્ષા કેન્દ્રમાં હોલટિકિટ સાથે જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે, બેગ સહિત ઇલેક્ટ્રોનિક સાધનો સાથે પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. CCTV થી પરીક્ષા કેન્દ્રનું સતત મોનીટરીંગ કરાશે, જેના માટે વિશેષ કમિટીની રચના કરાઈ છે. બોર્ડની સ્ક્વોડ ટીમ સિવાય કલેકટર કચેરી દ્વારા પણ અધિકારીઓની નિમણૂક કરાઈ છે, જે પરીક્ષા સમયે ફરજ પર રહેશે.

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શું છે વ્યવસ્થા?
દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો પર વિશેષ વ્યવસ્થા કરાઈ છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને તેમનાથી એક ધોરણ નીચેનું પોતાની શાળાનો કે અન્ય શાળાનો વિદ્યાર્થી લહિયા તરીકે આપી શકાશે 

વિદ્યાર્થીઓને પ્રથમ દિવસે પરીક્ષા સેન્ટર પર આવકારવા જુદા જુદા પદાધિકારીઓ, કલેક્ટર ઉપસ્થિત રહેશે. અમદાવાદ ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં એકપણ સંવેનશીલ કે અતિસંવેદનશીલ પરીક્ષા કેન્દ્ર નહીં. પ્રશ્નપત્ર વર્ગખંડ સુધી પહોંચે, ત્યારબાદ વિદ્યાર્થી ગેરહાજર હોય તો તુરંત ગેરહાજર વિદ્યાર્થીના પ્રશ્નપત્ર સીલબંધ કવરમાં મુકવાનો આદેશ કરાયો છે.

ગેરરીતિ અટકાવવા શું વ્યવસ્થા?
શિક્ષણ વિભાગ દ્વારા પોલીસ તેમજ આરોગ્યનો સ્ટાફ પણ ખડેપગે રહેશે, એસટી વિભાગ તેમજ વીજ કંપનીઓ સાથે પણ બેઠક કરાઈ છે. પરીક્ષા સેન્ટરની 100 મીટર આસપાસ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવાની રહેશે તેમજ લાઉડ સ્પીકર પણ નહીં વગાડી શકાય. જે તે વિષયના વિષય શિક્ષકોને જે તે વિષયની પરીક્ષા વખતે સુપરવિઝનમાંથી મુક્ત રખાશે. માસ કોપી કેસના કિસ્સામાં શાળા અને જે તે કસુરવાર કર્મચારીને પણ સજા કરાશે. પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાના સમય કરતા 30 મિનીટ ત્યારબાદથી 20 મિનીટ પહેલા પરીક્ષાખંડમાં પ્રવેશ અપાશે.

  • ધોરણ 10 ના પ્રશ્નપત્રો 80 માર્કના રહેશે. ધોરણ 10 ની પરીક્ષાનો સમય સવારે 10 થી બપોરે 1.15 સુધીનો રહેશે
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહની પરીક્ષાનો સમય બપોરે 3 વાગ્યાથી 6.15 વાગ્યા સુધીનો રહેશે
  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભાગ એ અને બી 50 - 50 માર્કના રહેશે, સમય બપોરે 3 વાગ્યાથી 6.30 વાગ્યા સુધીનો રહેશે
  • વ્યવસાયલક્ષી પ્રવાહનો સમય બપોરે 3 વાગ્યાથી 6.15 વાગ્યા સુધીનો રહેશે
  • સંસ્કૃત પ્રથમા પરીક્ષાનો સમય સવારે 10 થી બપોરે 1.15 સુધીનો રહેશે
  • સંસ્કૃત મધ્યમા પરીક્ષાનો સમય બપોરે 3 વાગ્યાથી 6.15 વાગ્યા સુધીનો રહેશે

આ પણ ખાસ વાંચોઃકપડાં કાઢી લોકોના પડખા ગરમા કરવા લાગી આ હીરોઈનો! સેક્સ રેકેટે બરબાદ કર્યું કરિયરડાયરેક્ટર કટ કહ્યું છતા હીરોઈન હોઠથી હોઠ મિલાવીને હીરોનો રસ લેતી રહી, વીડિયો વાયરલરેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી અંદાજિત 1.91 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ શહેરી વિસ્તારમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 1,09,286 વિદ્યાર્થીઓ આપશે. 12 ઝોનમાં, 72 પરીક્ષા કેન્દ્રો પર 370 બિલ્ડીંગમાં પરીક્ષાનું આયોજન કરાશે. અમદાવાદ શહેરી વિસ્તારમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા 61,475 વિદ્યાર્થીઓ આપશે. 7 ઝોનમાં, 34 પરીક્ષા કેન્દ્રોમાં 204 બિલ્ડીંગમાં પરીક્ષાનું આયોજન કરાશે. અમદાવાદ શહેરી વિસ્તારમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 38,391 વિદ્યાર્થીઓ આપશે. 5 ઝોનમાં, 28 કેન્દ્રો પર 124 બિલ્ડીંગમાં પરીક્ષાનું આયોજન કરાશે. અમદાવાદ શહેરી વિસ્તારમાં ધોરણ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 9,420 વિદ્યાર્થીઓ આપશે. 5 ઝોનમાં, 10 કેન્દ્રો પર 42 બિલ્ડીંગમાં પરીક્ષાનું આયોજન કરાશે.

  • અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 81,913 વિદ્યાર્થીઓ આપશે
  • 8 ઝોનમાં, 67 પરીક્ષા કેન્દ્રો પર 264 બિલ્ડીંગમાં પરીક્ષાનું આયોજન કરાશે
  • અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા 47,369 વિદ્યાર્થીઓ આપશે
  • 4 ઝોનમાં, 35 પરીક્ષા કેન્દ્રોમાં 142 બિલ્ડીંગમાં પરીક્ષાનું આયોજન કરાશે
  • અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 28,289 વિદ્યાર્થીઓ આપશે
  • 4 ઝોનમાં, 23 કેન્દ્રો પર 93 બિલ્ડીંગમાં પરીક્ષાનું આયોજન કરાશે
  • અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ધોરણ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 6,255 વિદ્યાર્થીઓ આપશે
  • 4 ઝોનમાં, 9 કેન્દ્રો પર 29 બિલ્ડીંગમાં પરીક્ષાનું આયોજન કરાશે
  • અમદાવાદ સેન્ટ્રલ જેલમાં પણ પરીક્ષા સેન્ટર રાખવામાં આવ્યું છે, ધોરણ 10માં 37 અને ધોરણ 12માં 12 એમ કુલ 49 જેટલા કેદીઓ પરીક્ષા આપશે

આ પણ ખાસ વાંચોઃશબ સાથે સેક્સ કરે છે આ સાધુઓ! એમની બીજી વાતો સાંભળી હલી જશે મગજના તાર...સ્કૂલમાં છેડતીનો શોખીન પછી રેપ કરવા લાગ્યો! રંગરેલિયા માટે આશ્રમમાં બનાવેલો અલગ રૂમજલેબીબાબાનો જલવો! યુવતીઓ સાથે સેક્સ માણવા બનાવ્યો રેપરૂમ, દરેક રેપનું રોકોર્ડિગ રખતો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news