CBSE નો મોટો નિર્ણય! 75 ટકા હાજરી નહીં હોય તો ધો.10 અને 12ની પરીક્ષા નહીં આપી શકાય

સીબીએસઈ બોર્ડ દ્વારા પરિક્ષા અંગે પરિપત્ર જાહેર. શૈક્ષણિક હેતુ સિવાય વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ, ઈત્તર પ્રવૃત્તિ, ટીમ વર્ક, ચારિત્ર્ય ઘડતરની જવાબદારી શાળાઓની, જેથી બાળકોની હાજરી શાળામાં જરૂરી. 75 ટકા કરતા ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા નહીં દેવાય.

CBSE નો મોટો નિર્ણય! 75 ટકા હાજરી નહીં હોય તો ધો.10 અને 12ની પરીક્ષા નહીં આપી શકાય

અતુલ તિવારી, અમદાવાદઃ રાજ્યભરના સીબીએસઈ બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સમાચારો ખુબ જ મહત્ત્વના છે. વારંવાર રજા પાડતા વિદ્યાર્થીઓની લાલિયાવાડી હવે નહીં ચલાવી લેવાય. તેના માટે સીબીએસઈ બોર્ડ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત સીબીએસઈ દ્વારા એક મહત્ત્વનો પરીપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ 75 ટકા હાજરી હશે તો જ સીબીએસઈ બોર્ડની પરીક્ષા આપી શકશે વિદ્યાર્થીઓ. એટલું જ નહીં વધુ રજા રાખી હશે તો વિદ્યાર્થીએ કારણ અને પુરાવા આપવા પડશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) બોર્ડની પરીક્ષાને લઈને સ્કૂલો માટે પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે ધો. 10 અને 12ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સ્કૂલમાં ઓછામાં ઓછી 75 ટકા હાજરી હોવી ફરજિયાત છે. જો છે. હાજરી ઓછી હશે તો બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે, જે વિદ્યાર્થીઓની હાજરી પૂરી નહીં હોય અથવા તો 75 ટકાથી ઓછી હશે તો એવા વિદ્યાર્થીઓએ ઓછી હાજરીનું કારણ બતાવવું પડશે કે, એમની હાજરી શા માટે ઓછી છે? જો એવું જોવામાં આવશે કે શાળાઓ બહાર પાડવામાં આવેલી સૂચનાઓનું પાલન કરતી નથી તો બોર્ડ દ્વારા કડક પગલાં લેવામાં આવશે જેમાં નાણાકીય દંડ અથવા શાળામાંથી હકાલપટ્ટીનો પણ સમાવેશ થાય છે. 

સીબીએસઈના પરિપત્ર મુજબ, શાળાઓ માત્ર તેમના વિદ્યાર્થીઓને વિષય જ્ઞાન આપવા માટે જ નથી. અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ, ઇતર પ્રવૃત્તિઓ, ચારિત્ર ઘડતરનો પણ તેમા સમાવેશ થાય છે. સીબીએસઈએસ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે અને બોર્ડની પરીક્ષામાં હાજર રહેવા માટે ઓછામાં ઓછી 75% હાજરી ફરજિયાત નક્કી કરી છે. આવશ્યકતાઓ અને કટોકટીને ધ્યાનમાં રાખીને હાજરીમાં 25% છૂટછાટ આપવામાં આવે છે.

બોર્ડની ટીમ સરપ્રાઈઝ ચેકિંગ કરશે-
CBSE શાળામાં ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓની હાજરી માટે અગાઉથી જાણ કર્યા વિના ઓચિંતું ચેકિંગ કરી શકે ચકાસવા છે. જો ચેકિંગ દરમિયાન એવું જણાયું કે વિદ્યાર્થીઓ હાજર નથી અને રેકોર્ડ્સ ઉપલબ્ધ નથી, તો શાળા સામે ડિસએફિલિએશનની કાર્યવાહી કરાશે. ચેકિંગ દરમિયાન ટીમ વિદ્યાર્થીની હાજરી સંબંધિત સ્કૂલ હાજરી રજિસ્ટર સહિતની બાબતોની પણ તપાસ કરશે.

રજામાટેવિધાર્થીએ અગાઉથી મંજૂરી લેવી પડશે-
મેડિકલ ઈમરજન્સીને કારણે રજા પર હોય તો વિદ્યાર્થીએ તબીબી પ્રિસ્ક્રિપ્શન અને પ્રમાણપત્રો શાળામાં રજૂ કરવા પડશે. - અન્ય કિસ્સાઓમાં વિદ્યાર્થીએ શાળાને લેખિતમાં રજાના માન્ય કારણની જાણ કરીને રજા મેળવવા માટેની પ્રક્રિયા કરવી પડરો. - જો કોઈવિદ્યાર્થી વારંવાર શાળામાં આવતો ન હોય તો શાળાએ વાલીઓને લેખિતમાં જાણ કરવી પડશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news