ગુજરાતના આ જિલ્લાઓનું આવી બન્યુ! અસ્થિર બન્યો અરબી સમુદ્ર, ખેતરો ખેદાન-મેદાન કરશે વરુણદેવ

Gujarat Weather Forecast: ફરી એકવાર ગુજરાતના ખેડૂતો પર માવઠાની ઘાત છે. ફરી એકવાર ગુજરાતમાં માવઠાની હવામાનની આગાહી આવી છે. ગુજરાતમાં 22-25 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવના છે.

ગુજરાતના આ જિલ્લાઓનું આવી બન્યુ! અસ્થિર બન્યો અરબી સમુદ્ર, ખેતરો ખેદાન-મેદાન કરશે વરુણદેવ

Gujarat Weather Forecast: ગુજરાત પર મંડરાઈ રહ્યાં છે ચિંતાના વાદળો. ફરી એકવાર ગુજરાત બના ખેડૂતોને પડી શકે છે માવઠાનો માર. ફરી એકવાર ખેતરો થઈ શકે છે ખેદાન-મેદાન. કાળા ડિંબાગ વાદળો ઉભો કરી રહ્યાં છે ગુજરાતમાં ડરામણો માહોલ! જેને કારણે ફરી એકવાર ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં ફરી ઉભી થઈ છે સૌથી મોટી ઘાત. જેને કારણે ફરી એકવાર ખેડૂતોના જીવ પડીકે બંધાયો છે. વારંવાર વાતાવરણમાં આવતો પલટો ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યો છે. 

23મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે. 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ દિવસોમાં કરા, ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 23 ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે.  ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે. અરબ સાગરથી ભેજવાળો પવન આવતાં વરસાદ પડવાની શક્યતા છે. આજે કેટલીક જગ્યાઓએ સામાન્ય વરસાદ થઇ શકે છે. દ્વારકા, કચ્છ, ગીરસોમનાથ, અમરેલી અને પોરબંદરમાં સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હજુ આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે. બે દિવસ વાતાવરણ ઠંડુ રહેશે જે બાદ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી-
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં હળવા વરસાદ આવી શકે છે. પોરબંદર, અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી છે. અરબ સાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે. આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે છે. 

આ વર્ષે આ મહિના સુધી રહેશે ઠંડીનો મારો-
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે. તો ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે, નાતાલ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવશે. 16-18 ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે. 18મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થશે. 

ગુજરાતમાં 22-25 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી. પરંતુ હવે સ્થિતિ બદલાતા નવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાનમાં પલટો વહેલો આવી રહ્યો છે અને તેમાં 1-2 દિવસનો ફરક પડી રહ્યો છે. 18મી તારીખે તેમણે જણાવ્યું હતું કે, જે પવનની ગતિ 9-12 કિલોમીટર પ્રતિ કલાકની હતી તે હવે વધીને 16-20kmph થઈ ગઈ છે. જે લગભગ 22 તારીખ સુધી રહી શકે છે. 

અરબી સમુદ્રની અસ્થિરતાના કારણે ગુજરાતમાં 20 તારીખથી ઘણાં ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ દરમિયાન ભારે માવઠું થશે તેવો ડર ઉભો થશે પરંતુ આ રાઉન્ડમાં મોટું માવઠું થવાની શક્યતાઓ નથી. 20-23 તારીખ દરમિયાન રાજ્યના ઘણાં ભાગોમાં ઘાટાં વાદળો જોવા મળશે. આ તારીખો દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના એકલ-દોકલ ભાગોમાં છૂટાછવાયા ઝાપટાં થઈ શકે છે. 22 ડિસેમ્બર સામાન્ય ઝાપટાં થવાની શક્યતાઓ પ્રબળ છે, આ પહેલા પણ ક્યાંક છાંટા થઈ શકે છે. આ વખતે છૂંટાછવાયા છાંટા કે સામાન્ય છાંપટાં થઈ શકે છે. 

વરસાદ સાથે ઠંડી આવશે-
સાથે જ તેમણે કમોસમી વરસાદ વચ્ચે ઠંડીની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે, આગામી સમયમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઇ શકે છે. જોકે, ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે. લેટેસ્ટ અપડેટ અનુસાર, સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું. પરંતું આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news