પારણાં બાદ હાર્દિક પટેલનો હૂંકાર, ઝૂકીશ તો તમારી સામે ઝૂકીશ પણ સરકાર સામે નહી

પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફી માટે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલ આજે 19 દિવસે પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓ આગેવાનોની હાજરીમાં પાણી પીને પારણ કર્યા હતા. પાટીદારોને અનામત આપો, ખેડૂતોની દેવા માફી અને અલ્પેશ કથેરિયાની જેલમુક્તિના માટે ઉપવાસ બેઠ્યો છું. 

પારણાં બાદ હાર્દિક પટેલનો હૂંકાર, ઝૂકીશ તો તમારી સામે ઝૂકીશ પણ સરકાર સામે નહી

અમદાવાદ: પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફી માટે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલ આજે 19 દિવસે પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓ આગેવાનોની હાજરીમાં પાણી પીને પારણ કર્યા હતા. પારણાં બાદ હાર્દિકે કહ્યું હતું કે, સરકાર નહીં પરંતુ વડીલોના આદર સામે ઝૂક્યો છું. પહેલા ભગતસિંહ બનવા નિકળ્યા તો દેશદ્રોહી થઈ ગયા, ગાંધીજી બનીને નીકળ્યા તો નજરકેદ થઈ ગયા. હાર્દિકના પારણાં કરાવવા માટે પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ પહોંચ્યા હતા. હાર્દિકની ઉપવાસી છાવણીમાં છએ છ સંસ્થાના આગેવાનો આરૂઢ થઈ ગયા હતા. હાર્દિક પટેલના ઉપવાસથી કોઈ અસર સરકાર પર થઈ ન હતી અને સમાજ જે હાર્દિકની પડખે આવ્યો હતો. ગમે તેવો દીકરો કેમ ન હોય પણ સમાજના વડીલો ને ચિંતા થતી હોય. 6 સંસ્થાઓના અગ્રણીઓ વિનંતી કરી કે જીવીશું તો લડીશું લડીશું તો જીતીશુંના મુદ્દા સાથે આજે બધા મિત્રોએ મને પારણાં કરાવવા માટે આવ્યા છે. તમામ લોકોના હું હાર્દિક સ્વાગત કરું છું.

પાટીદારોને અનામત આપો, ખેડૂતોની દેવા માફી અને અલ્પેશ કથેરિયાની જેલમુક્તિના માટે ઉપવાસ બેઠ્યો છું. છેલ્લા બે માસથી મંજૂરી માગવા છતાં મંજૂરી ન મળી આખરે ઘરે જ ઉપવાસ પર બેસવું પડ્યું. સમાજની મુખ્ય 6 સંસ્થાઓ તથા વડીલોએ અપીલ કરી હતી. સમાજમાં નાના મોટાની ખાણ ઉભી થઇ હતી તે દૂર થઇ છે. આપણે આપણી લડાઇ માટે સંપૂર્ણૅ ન્યોછાવર થઇ ગયા હતા. સમાજના વડીલો પાસે આશાઓ બંધાયેલી છે. ગામડાની મહિલાઓ પાસે 1-2 વીઘા જમીન બચી છે. તેમની માટે અમારી આ લડાઇ છે. અમારી લડાઈ તો 5 વીઘામાં મહેનત કરતા સુરત, બાપુનગર, રાજકોટ કે અમદાવાદમાં 10 કે 15 હજાર રૂપિયા મહેનત કરતા મજૂરી કરતા જેના દીકરાને સારા માર્કસ હોવા છતાંય એડમિશન નથી મળતું, એવા લોકો જેમની પાસે 750 રૂ છે. દેશી ખાતર દેવા માટે તે લોકોને 1450 થઈ ગયા આ લોકો માટે અમારી આ લડાઈ છે.

સમાજના વડીલો પાસે અમે ક્યારેય રાખી નથી કે તમે આમ કરો, અમે ક્યારેય એમ નથી કહેતા કે અમે તેમના વિરોધી છીએ. અમને માન અને સન્માન આપ્યું છે. અધિકાર વિના આ દુનિયામાં જીવવું મુશ્કેલ છે. બોલશો તો દેશદ્રોહી કહેશે અને નહી બોલો લોકો કહેશે કે આ મૂંગો છે. હું ઘોડો નથી કે થાકી જઇશ. સમાજના વડીલો મને પાણી પીવડાવ્યું છે. સમાજના વડીલો આગેવાનો પ્રત્યે ક્યારેય નારાજગી નથી. જો સરકાર નહી માને એમ સમજીશું કે હવે સરકારને આ સમાજની જરૂર નથી. કણબીનો છોરૂ છું એટલે કડવી વાતો લાગશે. સમાજનું ઉત્થાન અને નિર્માણ થશે તો ગુજરાતનું નવનિર્માણ થશે. 

આપણે કોઇની સામે લાચાર થયા છીએ તે નક્કી છે. આપણે ક્યાં સુધી લાચારી સહન કરીશું. હું જેલમાં પણ ગયો છું બદનામી પણ સહન કરી છે પણ ઝૂકીશ નહી. હું માતાના ચરણોમાં ઝૂકીશ, વડીલોના ચરણોમાં ઝૂકીશ, પણ અમુક લોકો સમક્ષ ઝૂકીશ નહી. હું જેલમાં હતો ત્યારે સમાજના આગેવાનો કહેતા કે કાલે જામીન મળી જશે પરંતુ નવ મહિલા જેલમાં રહ્યો. આ પારણા માત્ર તમારા માન-સન્માન માટેના જ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news