રાજકોટ પહોંચેલા ગૃહ રાજ્યમંત્રીએ ધારાસભ્ય ગોવિંદ પટેલ માટે એવી કોમેન્ટ કરી કે બધા હસી પડ્યા

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટની મુલાકાતે હતા. ત્યારે જોવા જેવી થઈ હતી. રાજકોટ પહોંચેલા હર્ષ સંઘવી સર્કિટ હાઉસમાં હોંચ્યા હતા. ત્યાં તેમને ભાજપના અનેક નેતા મળ્યા હતા. ત્યાં રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલ પણ ત્યાં હાજર રહ્યા હતા. ત્યારે હર્ષ સંઘવીએ પૂછ્યું હતું કે, ગોવિંદભાઈ ક્યા છે? ત્યારે ગોવિંદભાઇ પાછળ ઉભા હતા. ગોવિંદભાઈને તેનો જવાબ આપ્યો હતો કે, હું બધાને આગળ કરું છું. ત્યારે હર્ષ સંઘવી બોલ્યા હતા કે, યે ગુસ્તાખી માફ નહીં હોગી. આ બાદ ત્યા હાજર તમામ નેતા હસી પડ્યા હતા. 
રાજકોટ પહોંચેલા ગૃહ રાજ્યમંત્રીએ ધારાસભ્ય ગોવિંદ પટેલ માટે એવી કોમેન્ટ કરી કે બધા હસી પડ્યા

ગૌરવ દવે/રાજકોટ :ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટની મુલાકાતે હતા. ત્યારે જોવા જેવી થઈ હતી. રાજકોટ પહોંચેલા હર્ષ સંઘવી સર્કિટ હાઉસમાં હોંચ્યા હતા. ત્યાં તેમને ભાજપના અનેક નેતા મળ્યા હતા. ત્યાં રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલ પણ ત્યાં હાજર રહ્યા હતા. ત્યારે હર્ષ સંઘવીએ પૂછ્યું હતું કે, ગોવિંદભાઈ ક્યા છે? ત્યારે ગોવિંદભાઇ પાછળ ઉભા હતા. ગોવિંદભાઈને તેનો જવાબ આપ્યો હતો કે, હું બધાને આગળ કરું છું. ત્યારે હર્ષ સંઘવી બોલ્યા હતા કે, યે ગુસ્તાખી માફ નહીં હોગી. આ બાદ ત્યા હાજર તમામ નેતા હસી પડ્યા હતા. 

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવી આજે સૌરાષ્ટ્રમાં પહોંચ્યા હતા. તેમણે મોરબીમાં કાયદો વ્યવસ્થાની બેઠકમાં ભાગ લીધો હતો. તો રાજકોટ સર્કિટ હાઉસમાં બપોરે સ્થાનિક વેપારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં આંતરરાજ્ય છેતરપીંડીનો ભોગ બનેલા વેપારીઓને સાંભળ્યા હતા. આ સમયે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહીત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સ આયોજીત આ બેઠકમાં વેપારીઓને ગૃહરાજ્ય મંત્રીએ સાંભળ્યા હતા.

આ પણ વાંચો : કોમન ટોયલેટમાં મહિલાઓ જવાનું ટાળતી, તેથી અમદાવાદમાં હવે મહિલાઓ માટે બનશે ખાસ ‘પિંક ટોયલેટ’

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે અને પોલીસના અસ્તિત્વ સામે સવાલ ઉભો થયો હતો, ત્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પોલીસ અધિકારીઓ, ઉદ્યોગકારો અને જુદા જુદા એસોસિએશનના આગેવાનો સાથે મિટિંગ કરી હતી અને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યાર બાદ તેમણે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસની કામગીરીના લીધે મોરબીમાં ક્રાઇમ રેટ ઘટી રહ્યો છે. જોકે હજુ પણ ક્રાઇમ રેટ ઓછો થાય તેના માટે અધિકારીઓને ઘટતી કાર્યવાહી કરવા અને ગુનાખોરી ડામવા માટે કડક સૂચના આપવામાં આવી છે,

મોરબી જિલ્લાના મોરબી, હળવદ, વાંકાનેર, ટંકારા અને માળીયા ચોરીની ઘટનાઓ વધી હતી અને તેની સાથોસાથ અન્ય ગુનાખોરીનું પ્રમાણ પણ વધ્યું હતું. જેથી કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો હતો. તેની સાથોસાથ પોલીસના અસ્તિત્વ સામે પણ સવાલ ઉભા થવા લાગ્યા હતા. કારણ કે દરરોજ કોઈને કોઈ વિસ્તારની અંદર તસ્કરો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યા હતા. આ મુદ્દે મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી હતી. જેના આધારે ગૃહમંત્રી મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેઓએ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પોલીસ અધિકારીઓ, ઉદ્યોગકારો અને જુદા જુદા સંગઠનના હોદ્દેદારો સાથે મિટિંગ કરી હતી. 

આ પણ વાંચો : તળાવના ખોદકામમાં મળી આવ્યુ વિશાળ શિવલિંગ, લોકો દર્શન માટે દોડી આવ્યા

બાદમાં તેઓએ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષમાં નોંધાયેલ ગુનાની સરખામણીમાં ખૂનની કોશિશના ગુનામાં ૧૮ ટકા, લૂંટના ગુનામાં ૨૦ ટકા, ધાડના ગુનામાં ૬૭ ટકા, હંગામાના ગુનામાં ૬૨ ટકા અને શારીરિક ઈજા થાય તેવા ગુનામાં ૪૮ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ આટલી કામગીરી હજુ સંતોષ માનીને બેસી રહીએ તેમ નથી આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં ક્રાઈમ રેટ ઝીરો થાય તેના માટે જવાબદાર અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે “હિન્દી ફિલ્મમાં જે રીતે પોલીસને લેટ લતીફ” દર્શાવવામાં આવે છે તેવી જ રીતે મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોમાં બનેલી કેટલીક ઘટનાઓમાં પોલીસે લેટ લતીફની ભૂમિકા ભજવી હતી અને પોલીસને બનાવની જાણ કરવામાં આવ્યા બાદ કલાકો સુધી ઘટના સ્થળ ઉપર પોલીસ પહોંચી ન હોવાની ગૃહમંત્રીને ફરિયાદ કરવામાં આવી હતી જેથી આ મુદ્દાને ગંભીરતાથી લઈને અધિકારીઓને અસરકારક કામગીરી કરવા માટે ગૃહમંત્રીએ સૂચના આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news