VADODARA માં નોકરીથી ઘરે જવા નિકળેલી મહિલા એવી હાલતમાં મળી કે...

શહેરના સાવલીના લામડાપુરા ગામ પાસે આવેલ નિરમા કેનાલ પાસે મહિલાની હત્યા કરેલી લાશ મળતાં હડકંપ મચી જવા પામ્યો છે, મહિલાની હત્યા કરેલી લાશ મળતાં પોલીસ દોડતી થઈ છે. સાવલીના લામડાપુરા ગામ પાસે આવેલ નિરમા કેનાલ પાસે રાત્રે 32 વર્ષીય મહિલાની હત્યા કરેલી લાશ હોવાની માહિતી સાવલી પોલીસને મળતાં પોલીસ દોડતી થઈ અને સ્થળ પર પહોચી તપાસ કરી. જેમાં તપાસ કરતાં મૃતક મહિલા હંસાબેન પરમાર કે જે ઉમરેઠના ભરોડા તાલુકામાં રહેતી હોવાનું સામે આવ્યું છે. 
VADODARA માં નોકરીથી ઘરે જવા નિકળેલી મહિલા એવી હાલતમાં મળી કે...

વડોદરા : શહેરના સાવલીના લામડાપુરા ગામ પાસે આવેલ નિરમા કેનાલ પાસે મહિલાની હત્યા કરેલી લાશ મળતાં હડકંપ મચી જવા પામ્યો છે, મહિલાની હત્યા કરેલી લાશ મળતાં પોલીસ દોડતી થઈ છે. સાવલીના લામડાપુરા ગામ પાસે આવેલ નિરમા કેનાલ પાસે રાત્રે 32 વર્ષીય મહિલાની હત્યા કરેલી લાશ હોવાની માહિતી સાવલી પોલીસને મળતાં પોલીસ દોડતી થઈ અને સ્થળ પર પહોચી તપાસ કરી. જેમાં તપાસ કરતાં મૃતક મહિલા હંસાબેન પરમાર કે જે ઉમરેઠના ભરોડા તાલુકામાં રહેતી હોવાનું સામે આવ્યું છે. 

મૃતક મહિલા હંસાબેન પરમારને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા મારી હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હત્યાની માહિતી મળતાં સાવલી પોલીસ ઉપરાંત જિલ્લા એસ.ઓ.જી, ગ્રામ્ય એલ.સી.બી પોલીસની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હત્યાના બનાવ મામલે વધુ તપાસ કરતા મહિલા સાવલીની મીલ લેબોરેટરી કંપનીમાં કામ કરતી હોવાનું સામે આવ્યું. જેથી પોલીસની ટીમોએ કંપનીમાં પહોંચીને પણ તપાસ કરી. જેમાં પોલીસને જાણવા મળ્યું કે, મહિલાનો નોકરીનો સમય સવારે 8.30 થી સાંજનો 5.30 વાગ્યાનો છે. 

પોલીસે કંપનીના સિક્યોરિટી ગાર્ડને પૂછતા મહિલા નોકરી પૂરી કરી ઘરે જવા નીકળી હોવાની માહિતી પણ પોલીસને મળી. મૃતક હંસાબેન પરમાર વિધવા હોવાનું જાણવા મળે છે, ત્યારે હંસાબેનના પરિવારના સભ્યો હત્યાની જાણ થતાં ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા, સાથે જ કોણે હત્યા કરી અને કેમ કરી તે સવાલ ઉઠાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news