ખોડલધામના નરેશ પટેલનું મોટું નિવેદન, પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ

2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર આજે જોવા મળશે. ખોડલધામ ખાતે આજે પાટીદાર સમાજની આજે બેઠક મળનાર છે. જેમાં લેઉવા અને કડવા પટેલ સમાજના આગેવાનોની એક મંચ પર બેઠક મળશે. આ બેઠક પહેલા ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે.

ખોડલધામના નરેશ પટેલનું મોટું નિવેદન, પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ

ગૌરવ દવે/રાજકોટ :2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર એકઠા થયા છે. ખોડલધામ ખાતે આજે પાટીદાર સમાજની આજે બેઠક મળી છે. જેમાં લેઉવા અને કડવા પટેલ સમાજના આગેવાનોની એક મંચ પર આવ્યા છે. આ બેઠક પહેલા ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. નરેશ પટેલના પાટીદાર મુખ્યમંત્રીના નિવેદન બાદ રાજકીય ગરમાવો જોવા મળી શકે છે. 

બેઠક પહેલા નરેશ પટેલે જણાવ્યું કે, અમે થોડા દિવસ પહેલા ઉંઝા દર્શન કરવા માટે ગયા હતા. ઊંઝામાં જે મુદ્દાઓની ચર્ચા કરી હતી, તે મુદ્દાઓ અંગે આજે ચર્ચા કરીશું. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. રાજ્યને કેશુભાઈ જેવા આગેવાન હજી સુધી નથી મળ્યા નથી. કોઈ સમાજ એવુ ન ઈચ્છે કે તેમનો વ્યક્તિ મુખ્યમંત્રી ન બને. દરેક સમાજને એમ હોય કે, પોતાના સમાજના નેતા મુખ્યમંત્રી બને. પાટીદાર સમાજના મુખ્યમંત્રી પણ હોવા જોઈએ. 

સાથે જ ગુજરાતમાં ત્રીજો રાજકીય પક્ષ નહિ ચાલે એવી વાત અંગે નરેશે પટેલે કહ્યું કે, આપ પાર્ટી દિલ્હી અને અન્ય રાજ્યોમાં જે રીતે કામ કરે છે તેને 2022 ની ચૂંટણીમાં ગુજરાતમાં સ્થાન મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, હાલ ખોડલધામ ખાતે પાટીદાર આગેવાનો પહોંચી ચૂક્યા છે અને ખોડલધામ મંદિર ટ્રસ્ટના નરેશ પટેલની ઉપસ્થિતિમાં બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં 2022 ની ગુજરાતની ચૂંટણીઓ વિશે પાટીદાર સમાજના રોલ વિશે ચર્ચા થશે. 

બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટતા જ 2022 ની ચૂંટણીઓ માટે રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે. ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગઈકાલે ગુજરાત આવીને બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ કોંગ્રેસના ખેમામાં પણ ચહલપહલ શરૂ થઈ ગઈ છે. તો આ વચ્ચે 2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર આજે જોવા મળશે. ખોડલધામ ખાતે આજે પાટીદાર સમાજની આજે બેઠક મળનાર છે. જેની ગુજરાતની રાજનીતિ પર આ બેઠકની મોટી અસરો જોવા મળશે. આ બેઠકને પગલે અનેક રાજકીય તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે. ત્યારે આ મુલકાતથી ગુજરાતની રાજનીતિમાં ઉથલપાથલની શક્યતા છે.  

આ બેઠકમાં કોણ કોણ હાજર રહેશે

  • ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ
  • ઉંઝા ઉમિયાધમના દિલીપ નેતાજી
  • રમેશભાઇ દુધવાલા
  • વાસુદેવ પટેલ
  • હંસરાજભાઇ ધોરૂ કચ્છ
  • લવજીભાઇ બાદશાહ
  • ઉદ્યોગપતિ રમેશ ટીલારા
  • ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણી
  • સિદસર ઉમિયાધામ જેરામબાપા
  • આર.પી.પટેલ વિશ્વ ઉમા સંસ્થાન
  • બી.એસ.ઘોડાસરા 

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ પાટીદારો એક મંચ પર જોવા મળ્યા હતા. આ વર્ષની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જાન્યુઆરી 2021માં ઊંઝા ઉમિયાધામમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો એક જ મંચ પર આવ્યા હતા. ત્યારે વર્ષમાં બીજીવાર તેઓ એક મંચ પર જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news