વડસાસુએ કહ્યું તમે કુળદેવીના દર્શન કર્યા વગર સેક્સ કર્યું માટે તમારૂ શુદ્ધીકરણ કરવું પડશે

આપણે શિક્ષિત હોવાનો દાવો કરીએ પરંતુ શિક્ષિત લોકો જ વધારે અંધવિશ્વાસ રાખતા હોય તેવો વધારે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડસાસુએ અંધશ્રદ્ધાને કારણે પ્રેમ લગ્ન કરનાર દંપત્તિનું જીવન ઝેર કરી નાખ્યું હતું. લગ્ન બાદ વડસાસુએ ઘરમાં કુળદેવીના દર્શન કર્યા વગર શારીરિક સંબંધો બાંધવાના મુદ્દે હોબાળો કર્યો હતો. આ શારીરિક સંબંધોને અપશુકન ગણાવ્યા હતા. અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતીએ તે જ વિસ્તારમાં રહેતા યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. 
વડસાસુએ કહ્યું તમે કુળદેવીના દર્શન કર્યા વગર સેક્સ કર્યું માટે તમારૂ શુદ્ધીકરણ કરવું પડશે

અમદાવાદ : આપણે શિક્ષિત હોવાનો દાવો કરીએ પરંતુ શિક્ષિત લોકો જ વધારે અંધવિશ્વાસ રાખતા હોય તેવો વધારે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડસાસુએ અંધશ્રદ્ધાને કારણે પ્રેમ લગ્ન કરનાર દંપત્તિનું જીવન ઝેર કરી નાખ્યું હતું. લગ્ન બાદ વડસાસુએ ઘરમાં કુળદેવીના દર્શન કર્યા વગર શારીરિક સંબંધો બાંધવાના મુદ્દે હોબાળો કર્યો હતો. આ શારીરિક સંબંધોને અપશુકન ગણાવ્યા હતા. અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતીએ તે જ વિસ્તારમાં રહેતા યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. 

લગ્ન બાદ યુવતી પોતાના સાસરામાં રહેવા માટે ગઇ હતી. જો કે વડસાસુએ મર્યાદા વટાવીને વહુને ખુબ જ અંગત સવાલો પુછવાનું શરૂ કરી દીધું હતું. શું તમે લોકો લગ્ન બાદ સંબંધો બાંધ્યા કે નહી. કેટલો સમય સુધી શારીરિક સંબંધો રાખ્યા વગેરે સવાલો પુછ્યા હતા. લગ્ન પહેલા સંબંધો હતા કે કેમ તેના જવાબમાં વહુએ કહ્યું કે, અમે પ્રેમમાં હતા તેથી અગાઉ શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સાંભળતાની સાથે જ વડસાસુએ આ અપશુકન છે તેમ જણાવ્યું હતું. 

પત્ની અને પતિને વડસાસુએ ભુવા પાસે લઇ ગયા હતા. જ્યાં દોરા ધાગા કરાવ્યા હતા. ભુવાએ પ્રાયશ્ચિત સ્વરૂપે પતિ અને પત્નીને 50 દિવસ એક બીજાથી દુર રહેવા માટે જણાવ્યું હતું. જેથી વડસાસુએ બંન્નેને અલગ અલગ રૂમમાં સુવડાવ્યા હતા. બંન્નેના મોબાઇલ પણ સાથે લઇ લીધા હતા. બંન્ને એક સાથે સોફા પર બેસતા વડસાસુએ બંન્નેને સાવરણાઓ માર્યા હતા અને ઠંડું પાણી નાખીને શુદ્ધીકરણ કર્યું હતું. બંન્નેએ એક બીજાનું મોઢુ પણ નહી જોવા માટે જણાવ્યું હતું. 

સાસુ સસરા જો પુત્રવધુના પક્ષમાં કંઇ પણ બોલે તો લાડકી વડે બધાને ફટકારતા હતા. દાદીથી કંટાળેલા યુવકે ઘર છોડી દીધું હતું. જો કે પરિવાર તેને સમજાવીને પરત લાવ્યા હતા. જો કે વડસાસુએ આ કરવા માટે પૌત્રવધુને જવાબદાર ગણાવીને લાડકીઓ વડે માર માર્યો અને ઘર બહાર કાઢી મુકી હતી. વડસાસુથી કંટાળેલી મહિલાએ આખરે 181 અભયમનો સંપર્ક કર્યો હતો. આખરે 181એ વડસાસુનું કાઉન્સેલિંગ કરીને તેને કાયદાકીય સમજ આપી હતી. વડસાસુ અને નણંદ સમજવા તૈયાર નહી થયા આખરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news