પ્રેમ સંબંધોને કારણે પારિવારિક સંબંધોમાં તિરાડ પડી, ભાણિયાએ કરી મામાની હત્યા

દાહોદમાં સંબંધોની હત્યા થયાનો કિસ્સો સામે આવ્યો છે. ભાણાએ ઘાતકી રીતે મામાની હત્યા કરી છે. પ્રેમ સંબંધોને કારણે પારિવારિક સંબંધોમાં તિરાડ પડી હતી. દાહોદમાં ભાણા અર્જુને મામા શ્યામ પારગીની હત્યા કરી છે. 
પ્રેમ સંબંધોને કારણે પારિવારિક સંબંધોમાં તિરાડ પડી, ભાણિયાએ કરી મામાની હત્યા

ઝી મીડિયા/બ્યૂરો :દાહોદમાં સંબંધોની હત્યા થયાનો કિસ્સો સામે આવ્યો છે. ભાણાએ ઘાતકી રીતે મામાની હત્યા કરી છે. પ્રેમ સંબંધોને કારણે પારિવારિક સંબંધોમાં તિરાડ પડી હતી. દાહોદમાં ભાણા અર્જુને મામા શ્યામ પારગીની હત્યા કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, શ્યામ પારગીનો ભાણિયો અર્જુન અવારનવાર તેના ઘરે આવતો હતો. પણ, અર્જુનને જે છોકરીને પ્રેમ કરતો હતો તે છોકરી સાથે શ્યામ પણ વાતચીત કરતો અને મળતો હતો. આ બાબતને લઈને બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. અર્જુનના જન્મદિવસે તેણે મામાના હત્યાનો પ્લાન બનાવ્યો હતો. તે પોતાના જન્મદિવસની ઉજવણીના બહાને મામા અર્જુનને બહાર લઈ ગયો હતો. 

તે મુવાલીયા તળાવ પાસે અર્જુન મામા શ્યામને લઈ ગયો હતો. જ્યાં તેણે પાણીમાં મામાને ધક્કો માર્યો હતો. એટલુ જ નહિ, મામા શ્યામે જ્યારે પાણીમાંથી બહાર આવવાનો પ્રયાસ કર્યો ત્યારે અર્જુને પત્થરોથી ઉપરાઉપરી ઘા કરીને મામાને મોતને ઘાટ ઉતાર્યા હતા. 

તળાવમાંથી જ્યારે શ્યામની લાશ મળી ત્યારે તેના માથાના ભાગ અને અન્ય ભાગો પર ઈજા હતી. પોલીસે હત્યાની શંકા પર તપાસનો દોર લંબાવ્યો હતો. દાહોદ એલ.સી.બી અને એસ.ઓ.જી સહિતની ટીમોએ તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ પોલીસને સફળતા સાંપડી હતી. આખરે ભાણિયો અર્જુન પોલીસ પકડમાં આવ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news