Ahmedabad: મૃત બાળકને જન્મ આપ્યા બાદ બળાત્કારની પીડિત સગીરાનું પણ મોત, પોલીસે શરૂ કરી તપાસ

શહેરના ગોમતીપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં સગીરાનું મહિનાઓ પહેલાં પ્રેમીએ લાલચ આપી અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. 

Ahmedabad: મૃત બાળકને જન્મ આપ્યા બાદ બળાત્કારની પીડિત સગીરાનું પણ મોત, પોલીસે શરૂ કરી તપાસ

મૌલિક ધામેચા, અમદાવાદઃ અમદાવાદમાં ફરી એક વખત સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. સગીરા ગર્ભવતી થતાં તેને મૃત બાળકને જન્મ આપ્યો હતો. જો કે બાળકના જન્મ બાદ સગીરાનું પણ મોત થતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

શહેરના ગોમતીપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં સગીરાનું મહિનાઓ પહેલાં પ્રેમીએ લાલચ આપી અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. જેના કારણે સગીરા ગર્ભવતી થઇ હતી. જો કે, આ મામલે કોઇને જાણ કરી ન હતી. આ દરમિયાન સગીરાને દુઃખાવો થતા તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેની ડિલીવરી થઇ ગઇ હતી. જેમાં મૃત બાળકનો જન્મ થયો હતો. બીજી તરફ થોડા જ સમયમાં સગીરાનું પણ મોત નિપજ્યું હતું.

આ મામલે ગોમતીપુર પોલીસે  તપાસ કરતા પ્રેમી યુવકે ત્રણ વખત બળાત્કાર કર્યો હોવાનું બહાર આવ્યું હતું. આરોપી યુવક અને સગીરા અવાર નવાર મળતા હતા. આ દરમિયાન આરોપી સગીરાને ત્રણ વાર હોટલમાં લઇ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે સગીરાને નવ માસ નો ગર્ભ હોવા છતાં પરિવારના કોઈ સભ્યને આ બાબતની જાણ ન હતી.

હાલમાં પોલીસે સગીરાના પ્રેમીની શોધખોળ શરૂ કરી છે. અને આરોપી પ્રેમી સામે અપહરણ, બળાત્કાર, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી છે. જો કે પોલીસે મૃત બાળકના DNA માટેના પણ સેમ્પલ લીધા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news