રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠક યોજાશે

આ બેઠકમાં સરસંઘચાલક મોહનજી ભાગવત, સરકાર્યવાહ ભય્યાજી જોશી અને સંઘના અખિલ ભારતીય કાર્યકારિણીના સદસ્યો હાજર રહેશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠક યોજાશે

અમિત રાજપૂત, અમદાવાદ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિવિધ સમવિચારી સંગઠનોની સમન્વય બેઠક વર્ષમાં બે વાર યોજાય છે. આ જ ક્રમમાં આ વર્ષે ત્રણ દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠક 5 થી 7 જાન્યુઆરી દરમિયાન કર્ણાવતી મહાનગરમાં યોજાનાર છે.

કર્ણાવતી ડેન્ટલ કોલેજ, ઉવારસદ ખાતે 5 જાન્યુઆરી થી 7 જાન્યુઆરી સુધી યોજાનારી આ બેઠકમાં સરસંઘચાલક મોહનજી ભાગવત, સરકાર્યવાહ ભય્યાજી જોશી અને સંઘના અખિલ ભારતીય કાર્યકારિણીના સદસ્યો હાજર રહેશે. આ બેઠકમાં સમાજજીવનના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત સમવિચારી સંગઠનોના  પદાધિકારી પણ ઉપસ્થિત રહેશે અને વિવિધ વિષયો પર ચર્ચા કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news