BIG NEWS : ગુજરાતને નર્મદાનું 11.7 MAF પાણી મળશે, સૌથી મોટી ખુશખબર

Narmada Water Big Decision : આ વર્ષે ચોમાસા સુધી ગુજરાતમાં નહીં સર્જાય પાણીની સમસ્યા...ગુજરાતને ચાલુ વર્ષે નર્મદા ડેમમાંથી 11.7 મિલિયન એકર ફૂટ પાણી અપાશે...80 ડેમ, 150 તળાવ, 900થી વધુ ચેકડેમ ભરાશે...

BIG NEWS : ગુજરાતને નર્મદાનું 11.7 MAF પાણી મળશે, સૌથી મોટી ખુશખબર

Narmada Water Big Decision : ગુજરાતીઓ માટે સૌથી મોટા સમાચાર એ છે કે પ્રથમવાર ડેમની ઊંચાઈ વધારાયા બાદ રાજ્યને પ્રથમ વાર આટલી મોટી જળરાશિ મળશે. નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની ભોપાલ બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. નર્મદા ડેમમાંથી ગુજરાતને ચાલુ વર્ષે ૧૧.૭ MAF પાણી આપવાનો નિર્ણય થોડા દિવસ અગાઉ ભોપાલ ખાતે નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની મળેલી બેઠકમાં લેવાયો છે. આ ગુજરાત માટે અભૂતપૂર્વ નિર્ણય છે. નર્મદા ડેમમાંથી અત્યાર સુધી ગુજરાતના ભાગે ૯ મિલિયન એકર ફીટ (MAF) પાણી આવતું હતું તેના બદલે ચાલુ વર્ષે ૧૧.૭ MAF પાણી આપવાનો નિર્ણય કરાયો છે. જેના લીધે ગુજરાતને આ વખતે ચોમાસા સુધી પાણીની કોઇ તકલીફ નહીં પડે. નમદા ડેમની ઉંચાઈ વધારાયા બાદ ગુજરાતને પ્રથમ વખત આટલી મોટી જળરાશિ મળવા જઈ રહી છે. આ ગુજરાતીઓ માટે સૌથી ખુશખબર છે. સરકાર ૮૦ ડેમ ૧૫૦ તળાવ, ૯૦૦થી વધુ ચેકડેમ નર્મદાના પાણીથી ભરી શકશે.

અત્યાર સુધી મળતા પાણીથી 25 ટકાથી વધારે પાણી મળશે
ગુજરાતને નર્મદામાથી ૧૧.૭ MAF પાણી મળનાર હોવાથી તેનો સીધો લાભ લગભગ સમગ્ર રાજ્યને મળશે. સરકારના સુત્રોના જણાવ્યા મુજબ નર્મદા ડેમમાંથી સૌની યોજના અને અન્ય યોજના હેઠળ ૮૦ જેટલા મોટા ડેમ ભરવામાં આવે છે તે ચોમાસા સુધી ભરવામાં આવશે. આ ઉપરાંત નર્મદાના પાણીથી ભરવામાં આવતા ૧૫૦ જેટલા તળાવો પણ ભરવાનું ચાલુ રખાશે અને ૯૦૦ જેટલા ચેકડેમ પણ નર્મદાના નીરથી નવપલ્લવિત થશે. આ ગુજરાત માટે સૌથી ખબર છે. ડેમની ઊંચાઈ વધાર્યા બાદ ગુજરાતને પ્રથમવાર આ પાણી મળવાનું છે. અત્યાર સુધી મળતા પાણીથી 25 ટકાથી વધારે પાણી મળતાં ગુજરાતના ખેડૂતોને સૌથી વધારે ફાયદો થશે. ઉનાળામાં જે સિંચાઈ માટે પાણી મળતું નથી એમાં પણ મળે તેવી સંભાવના છે. રાજ્ય માટે આનાથી વધારે મોટી કોઈ ખુશ ખબર નથી. રાજ્યમાં લીલોતરી માટે નર્મદા ડેમનો મુખ્ય ફાળો છે. નર્મદા એ ગુજરાતની મા ગણાય છે. જેનું પાણી મોટા શહેરોમાં પીવાના પાણી તરીકે ઉપયોગ થાય છે. 

આ પણ વાંચો : 

ઉનાળામાં નહિ રહે પાણીની તંગી
ચોમાસા પહેલાં ચેકડેમો, કૂવાઓ અને તળાવો ખાલીખમ થઈ જતાં હોવાથી રાજ્યમાં પાણીની બુમરાણ પડતી હોય છે. રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સમસ્યા સર્જાતી હોય છે. હવે ગુજરાતીઓ માટે આ આનંદના સમાચાર છે. ખેડૂતોને ઉનાળુ પિયત માટે પણ પાણી મળી રહેશે. ગુજરાતને જળસંકટથી મુક્તિ મળશે અને પાણીથી લીલાલહેર થશે. ગુજરાત સરકાર માટે પણ આ સૌથી મોટી ખુશીના સમાચાર છે. 

ગુજરાતને બખ્ખાં થઈ જશે
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યો વચ્ચે જળરાશિની વહેંચણી સહિતના મુદ્દે બનેલી નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી દર વર્ષે નક્કી કરતી હોય છે કે ક્યા રાજ્યને કેટલું પાણી મળશે. થોડા દિવસ પૂર્વે ભોપાલ ખાતે આ ઓથોરિટીની બેઠક મળી હતી. જેમાં નર્મદા ડેમમાં જળરાશિની આવકને ધ્યાને લઈ ગુજરાતને આ વખતે ૯ MAFના બદલે ૧૧.૭ MAF પાણી આપવાનું નક્કી કરાયું છે. આ પાણીનો જથ્થો ગુજરાતને મળતાં ગુજરાતને બખ્ખાં થઈ જશે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news