ધોરણ-1માં એડમિશનના સરકારના નિયમ પર હાઈકોર્ટે આપ્યો આ આદેશ

Admission : સરકારના નિયમને 53 વાલીઓએ હાઈકોર્ટમાં પડકાર્યો... બાળકને 6 વર્ષમાં 1 દિવસ ખૂટતો હોય તો પ્રવેશથી વંચિત ન રખાય

ધોરણ-1માં એડમિશનના સરકારના નિયમ પર હાઈકોર્ટે આપ્યો આ આદેશ

Gujarat Highcourt : ગુજરાતની શાળાઓમાં પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકની ઉંમર છ વર્ષ ફરજિયાત કરવામાં આવી છે. જેની વિરુદ્ધમાં વાલીઓએ હાઈકોર્ટમાં કરેલી અરજી દરમિયાન હાઈકોર્ટે મહત્વનું અવલોકન કર્યું છે. 53 જેટલા વાલીઓએ આ નિયમને હાઈકોર્ટમાં પડકાર્યો છે. જેની સુનાવણીમાં જસ્ટિસ સંગીતા વિશેણેએ સરકારને આદેશ કર્યો છે કે, જે બાળકને છ વર્ષ પુરા થવામાં એક દિવસ બાકી હોય તેમને પ્રવેશથી વંચિત ન રાખી શકાય. આ મામલે હાઈકોર્ટે એક બાળકના પિતાએ કરેલી અરજીને માન્ય રાખી છે. અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, બાળકને છ વર્ષ પુરા થવામાં એક જ વર્ષ ખૂટે છે. એવામાં જો તેને સરકારના નિયમ અનુસાર પહેલા ધોરણમાં પ્રવેશ ન આપવામાં આવે તો તેનું આખું વર્ષ બગડી શકે એમ છે.

6 વર્ષ પૂરા કરનારા બાળકને જ ગુજરાતની શાળાઓમાં ધોરણ-1 માં પ્રવેશ આપવાનો સરકારનો નિયમ છે. જેને 53 વાલીઓએ હાઈકોર્ટમાં પડકાર્યો છે. એક બાળકના પિતાએ હાઈકોર્ટમાં કરેલી અરજી કોર્ટે માન્ય રાખી છે. જેમાં રજૂઆત કરાઈ હતી કે, બાળકના 6 વર્ષ પૂરા થવામાં માત્ર એક જ દિવસ બાકી છે. આ કારણે તેને ધોરણ-1 માં પ્રવેશ ન આપાય તો તેનું આખું વર્ષ બગડી શકે છે. 

જસ્ટિસ સંગીતા વિશેણે સરકારને આદેશ કર્યો હતો કે, જે બાળકોને 6 વર્ષ પૂરા થવામાં એક દિવસ બાકી હોય તો તેમને પ્રવેશથી વંચિત ન રાખી શકાય. હાઈકોર્ટે બાળકને પ્રવેશ અપાવવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, એક દિવસના કારણે બાળકનું આખુ વર્ષ ન બગાડી શકાય. 

અરજદાર પિતા તરફથી રજૂઆત કરાઈ હતી કે, રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન રુલ્સ 2012 ના રૂલ-3 ના સબ રૂલ (1) ને પણ પડકારવામા આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news