'અયોધ્યા રામ મંદિરના દર્શન માટે પૈસા લાગે છે, હું તમને મફતમાં રામજીના દર્શન કરાવીશ': કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે સુરતમાં પણ, ગુજરાતીમાં કેમ છો કહી સભાની સંબોધન ચાલુ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, દાહોદમાં 1 લાખ લોકો સભામાં એકત્ર થયા છે, તમામ લોકો બદલાવ ચાહે છે. આઈ.બી કેન્દ્ર સરકારની જાસૂસી સંસ્થા છે.

'અયોધ્યા રામ મંદિરના દર્શન માટે પૈસા લાગે છે, હું તમને મફતમાં રામજીના દર્શન કરાવીશ': કેજરીવાલ

સુરત: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માંન આજે સુરતની મુલાકાતે છે. આપના મંત્રી રાજેન્દ્ર પાલ દ્વારા હિન્દુ દેવતાના બહિષ્કારના એલાનના પગલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. જેને લઈને કેજરીવાલે નિવેદન આપ્યું છે કાલે હું આવ્યો ત્યારથી જ ચારે બાજુ મારા વિરુદ્ધ પોસ્ટર લાગ્યા હતા. ભાજપે મારા ફોટો સાથે ભગવાન વિરુદ્ધ ગંદી ગંદી વાતો લખી છે.

અરવિંદ કેજરીવાલે સુરતમાં પણ, ગુજરાતીમાં કેમ છો કહી સભાની સંબોધન ચાલુ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, દાહોદમાં 1 લાખ લોકો સભામાં એકત્ર થયા છે, તમામ લોકો બદલાવ ચાહે છે. આઈ.બી કેન્દ્ર સરકારની જાસૂસી સંસ્થા છે. જેઓના સરકારી રિપોર્ટ પ્રમાણે ડિસેમ્બરમાં ગુજરાતમાં આપની સરકાર બનશે. 93 થી 94 સીટ આઈ.બી કહે છે. થોડો ધક્કો મારી આપો, 150 પાસે સીટ અપાવી દો.

કેજરીવાલે જણાવ્યું કે, સરકાર બન્યા બાદ સૌથી પહેલાં ભ્રષ્ટચાર પૂર્ણ કરવામાં આવશે. ગુજરાતના 1 ધારાસભ્યની 5 વીંઘા જમીન હતી. ચૂંટણી જીત્યા બાદ 1 હજાર વીંઘા જમીન ખરીદી લીધી. દર વર્ષે ગુજરાત સરકાર 2.50 લાખ કરોડ ટેક્સ વસુલે છે. ક્યાં ગયા બધા પૈસા, ભાજપ સરકારે લૂંટી લીધા બધા પૈસા. ગુજરાતને ભ્રષ્ટચાર મુક્ત આપ સરકાર આપશે, જેટલા પૈસા ભાજપે લૂંટયા છે એ તમામ પરત લાવશું. આપના કોઈ પણ ધારાસભ્ય કે મંત્રી ભ્રષ્ટચાર કરશે તો જેલ જશે. 

તેમણે જણાવ્યું કે, પંજાબના હેલ્થ મિનિસ્ટર ભ્રષ્ટચાર કરતા જણાયું તો પંજાબનાં મુખ્યમંત્રીએ તેઓને જેલ મોકલી આપ્યા, ગુજરાતમાં જે પેપર લીક થયા છે તે તમામને પણ જેલ મોકલી આપીશું. મારો જન્મ જન્માષ્ટમીનાં દિવસે થયો હતો અને ભગવાને મને રાક્ષસોનો વિનાશ કરવા મને જન્મ આપ્યો છે.  

કેજરીવાલે સુરતની જનતાને ગેરંટી આપી હતી કે, ગુજરાતમાં સૌથી પહેલું વીજળી મફત આપીશું. 1 માર્ચ પછી જુના બિલો પણ માફ કરીશું. દિલ્હી પંજાબમાં વિજબીલ 0 આવે છે. વિજબીલ 0 આવે વીજળી 24 કલાક આવે છે. 18 વર્ષની તમામ મહિલાઓના ખાતામાં દર મહિને 1 હજાર રૂપિયા મળશે. ગુજરાતના સીએમ ને 5000 યુનિટ વીજળી મફત મળે છે. મંત્રીઓને 4000 યુનિટ વીજળી મફત મળે છે.

કેજરીવાલે જણાવ્યું હતું કે, હવે તમારે ચિંતા કરવા જવાની જરૂર નથી. તમારો ભાઈ હવે ગુજરાતમાં આવી ગયો છે. ગુજરાતમાં 6.50 કરોડ લોકો માટે મહોલ્લા ક્લિનિક ખોલીશ અને તમારો ઇલાજ મુફ્ટમાં થશે. જળ, જંગલ અને જમીન પર ગ્રામસભાનો જ અધિકાર રહેશે જો આપની સરકાર આવશે, જે મામલે ગુજરાત પહેલું રાજ્ય બનશે. અયોધ્યા રામ મંદિરના દર્શન માટે પૈસા લાગે છે . હું તમને મફતના રામજીના દર્શન કરાવીશ, દિલ્હીમાં ટ્રેનમાં લોકોને ફ્રીમાં અયોધ્યા લઈ જવા માટે ટ્રેન જાય છે. કોઈ કહે ફ્રીની રેવડી તો એ ભ્રષ્ટચારી છે. અને તેઓનો ધંધો બંધ થઈ જશે. ખાસ કરીને કૉંગ્રેસથી બચીને રહેજો તેઓની 10 સીટ આવવાની છે અને તેઓ પણ જીતીને ભાજપમાં જતા રહેશે તો કૉંગ્રેસ પાછળ મત વ્યય ન કરતા.

મહત્વનું છે કે, હાલમાં આપના મંત્રી રાજેન્દ્ર પાલ દ્વારા હિન્દુ દેવતાના બહિષ્કારના એલાનના વિડિયો સામે આવ્યો છે. જેને લઈ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. કેજરીવાલે આ મામલે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું છે કે હું આવ્યો ત્યારે ચારે બાજુ મારા વિરુદ્ધ પોસ્ટર લાગ્યા હતા. ભાજપે મારા ફોટો સાથે ભગવાન વિરુદ્ધ ગંદી ગંદી વાતો લખી.  ગુજરાતના લોકો ભગવાન વિરુદ્ધ કઈ પણ સાંભળશે નહિ. રાક્ષસો ભગવાનનું અપમાન કરે છે. આ લોકો રાક્ષસોના વંશજ છે. ભગવાને મને એક કામ સોંપ્યું છે કે આ રાક્ષસોથી જનતાને બચાવવાનું છે.

વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પરિવર્તનની આંધી ચાલે છે. 27 વર્ષ બાદ લોકોને બદલાવ જોઈએ છે. મજાની વાત એ છે કે IBનો રિપોર્ટ આવ્યો છે, ત્યારથી કોંગ્રેસ ભાજપ વચ્ચે મિટિંગ થાય ચાલી રહી છે. ભાજપને બે પ્રશ્ન છે કે તેમનું ને કોંગ્રેસનું શુ સેટિંગ છે,  બીજું કે અમે કહીએ છીએ કે ગુજરાતને અમે નસરી સ્કૂલ આપીશું તો આ બન્ને તેનો વિરોધ કરે છે. આ લોકો નથી ઇચ્છતા કે ગુજરાતના લોકોને સારું શિક્ષણ મળે, ગુજરાતમાં જ્યાં જ્યાં ગયા છે, ત્યાં લોકો જાતે આવે છે. પંજાબમાં પણ આવું જ થયું હતું. પહેલા લોકો પાસે કોઈ વિકલ્પ ન હતો. હવે મશીનમાં ઓપ્શન મળશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news