RAJKOT: પત્નીએ ચિક્કાર દારૂ પીધા બાદ એવી વાત કરી કે, પતિએ સીધી જ તેની હત્યા કરી નાખી

કહેવાય છે કે દુનિયામાં પતિ અને પત્ની ના સબંધ એ ખુબજ સુંદર અને મજબૂત હોય છે, પણ જયારે આ સબંધ બગડે ત્યારે કાચા મનમાં માનવી કઈ પણ કરી જાય છે. આવી જ એક ઘટના બની રાજકોટ જિલ્લાના વીરપુર તાલુકાના મેવાસા ગામમાં. જ્યાં પતિએ નાની એવી વાતમાં પોતાની પત્નીની હત્યા કરી નાખી હતી. 

RAJKOT: પત્નીએ ચિક્કાર દારૂ પીધા બાદ એવી વાત કરી કે, પતિએ સીધી જ તેની હત્યા કરી નાખી

નરેશ ભાલિયા/વીરપુર : કહેવાય છે કે દુનિયામાં પતિ અને પત્ની ના સબંધ એ ખુબજ સુંદર અને મજબૂત હોય છે, પણ જયારે આ સબંધ બગડે ત્યારે કાચા મનમાં માનવી કઈ પણ કરી જાય છે. આવી જ એક ઘટના બની રાજકોટ જિલ્લાના વીરપુર તાલુકાના મેવાસા ગામમાં. જ્યાં પતિએ નાની એવી વાતમાં પોતાની પત્નીની હત્યા કરી નાખી હતી. 

બે દિવસ પહેલા રાજકોટ જિલ્લાના મેવાસા ગામમાં એક હત્યાની ઘટના નોંધાઇ હતી. જે મુજબ મેવાસા ગામના ભીખુભાઇ ચુનિભાઈ ત્રાપસિયા ખેડૂતની વાડીમાં 15 દિવસ પહેલા મધ્યપ્રદેશના ખેત મજુર પતિ રામસિંહ અને પત્નિ સોમારી આવ્યા હતા. ખેત મજૂરી ચાલુ કર્યું હતું. આ જ આદિવાસી મજુરે રામસિંહ તેની પત્ની સોમારીની બોથડ પદાર્થ મારીને હત્યા કરી નાખી છે. તેવી ફરિયાદ વાડી માલિક ભીખુભાઇ દ્વારા વીરપુર પોલીસમાં નોંધાવી હતી. આ બાબતે વીરપુર પોલીસે તાપસ શરૂ કરીને હત્યારા પતિની ઘરપક્કડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. 

શું હતી સમગ્ર ઘટના? 
બે દિવસ પહેલા મેવાસાના રહેવાસી ભીખુભાઇ ત્રાપાસિયા સવારે પોતાની વાડીએ ગયા ત્યારે તેનો મજૂર જે જગ્યા એ ધાણા વાવેલ ત્યાં ઉભો હતો અને ધાણામાં તેની પત્ની પડી હતી. આ સમગ્ર ચિત્ર જોઇને ભીખુભાઇએ તેના મજૂર રામસિંહને પૂછ્યું શુ થયું છે. તારી પત્નીને ત્યારે રામસિંહ આખી કહાણી કહી હતી, અને જેમાં રામસિંહ કહ્યું કે, મેં મારી ઘરવાળીને મારી નાખી છે.


(પોતાની પત્નીની હત્યા કરનારો આરોપી)

શા માટે એક પતિએ તેની પત્નીની હત્યા કરી ?
વીરપુર તાલુકાના મેવાસા ગામ ના એક  પટેલ ખેડૂત ખાતેદાર ભીખુભાઇ ત્રાપાસિયાની વાડીમાં મધ્ય પ્રદેશથી રામસિંહ અને તેની પત્ની સોમારી અહીં ખેત મજૂરી કરવા આવ્યા હતા. 15 દિવસ થયા અહીં રહીને કામ કરતા હતા. બે દિવસ પહેલા રાત્રે રામસિંહની પત્ની ખૂબ દારૂ પી ગઈ હતી અને નશા માં ચૂર હતી. તે સમયે રામસિંહે પત્નીને જમવાનું બનાવવાનું કહ્યું ત્યારે નશામાં ચૂર સોમારીએ  રસોઈ બનાવવાની ના કહી અને ભૂખ લાગી હોય તો હાથે બનાવી લેવા કહ્યું હતું. આ મુદ્દો એટલો ભયાનક બન્યો કે, રામસિંહે ગુસ્સામાં ઝપાઝપી કરી અને લાકડાના હાથા વડે પત્ની સોમારીને મારવાનું ચાલુ કર્યું. જેમાં સોમારીને પડખામાં વાગતાં તે મૃત્યુ પામી હતી.

પત્ની  સોમારી ને લાકડાથી મારતા તે ધાણાના ખેતરમાં ઢેર થઈ હતી. તેનો પતિ રામસિંહ વીલા મોઢે લાશ પાસે ઊભો હતો અને જ્યારે વાડી માલિક ભીખુભાઇ આવ્યા ત્યારે સમગ્ર ઘટના રોતા રોતા કહી હતી. વાડી માલિક ભીખુભાઇ એ આ સમગ્ર ઘટના સંભાળી ને વીરપુર પોલીસ ને જાણ કરી હતી અને વીરપુર પોલીસે હત્યારા પતિ રામસિંહ ની ઘરપક્કડ કરી ને કાયદેસર ની કાર્યવાહી શરૂ કરી હતી. ક્ષણિક ગુસ્સો માણસ ને ક્યારેક હેવાન બનાવી દે છે અને નહિ કરવા નું કરી નાખે છે આવું જ કંઈક અહીં જ બન્યું હતું અહીં રામસિંહ ક્ષણિક ગુસ્સા હત્યા કરી ને પછતાઈ રહ્યો છે અને પોલીસ હીરાસતમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news