સાળંગપુર વિવાદમાં કેમ કોઈ નમતું જોખવા તૈયાર નથી? વધુ એક સ્વામીનું નિવેદન જાણી લોહી ઉકળી ઉઠશે!

બોટાદમાં સાળંગપુર ખાતે હનુમાનજીની મૂર્તીની ભીંતચિત્રો અંગે જે વિવાદ ચાલી રહ્યો છે. તેના પર નૌતમ સ્વામીએ સંબોધન દરમિયાન જણાવ્યું છે કે, સ્વામિનારાયણ ભગવાનની હનુમાનજીએ અનેક વખત સેવા કરી છે.

સાળંગપુર વિવાદમાં કેમ કોઈ નમતું જોખવા તૈયાર નથી? વધુ એક સ્વામીનું નિવેદન જાણી લોહી ઉકળી ઉઠશે!

ઝી બ્યુરો/ભાવનગર: બોટાદનું પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર અત્યારે વિવાદોના કેન્દ્રમાં છે. હનુમાનજીને સ્વામીનારાયણના ભક્ત તરીકે દર્શાવાતાં શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લેતો. આ વિવાદમાં સાધુ સંતો બાદ હવે સામાન્ય જનતા પણ જોડાઈ રહી છે. મંદિરના સંચાલકો અને સંતો સામે સનાતન ધર્મ અને હનુમાનજીનું અપમાન કરવાનો આક્ષેપ કરાયો છે. હનુમાનજીની 54 ફૂટ ઉંચી મૂર્તિ નીચેથી અમુક ભીંતચિત્રો દૂર કરવા સહિતની માગો ઉગ્ર બની છે. જો કે અખિલ ભારતીય સંત સમિતિના અગ્રણી નૌતમ સ્વામીએ વિરોધને નકારી કાઢ્યો છે.

નૌતમ સ્વામીએ સંબોધન
બોટાદમાં સાળંગપુર ખાતે હનુમાનજીની મૂર્તીની ભીંતચિત્રો અંગે જે વિવાદ ચાલી રહ્યો છે. તેના પર નૌતમ સ્વામીએ સંબોધન દરમિયાન જણાવ્યું છે કે, સ્વામિનારાયણ ભગવાનની હનુમાનજીએ અનેક વખત સેવા કરી છે. કોઈને વ્યક્તિગત પ્રશ્નો હોય તો યોગ્ય ફોરમ પર વાત કરી શકે છે. સામાન્ય નાના મોટા માણસોને સંપ્રદાયના કોઈ વ્યક્તિએ જવાબ આપવાની જરૂર નથી. ભગવાન સ્વામિનારાયણે કળિયુગમાં જન્મ લઈ અધર્મનો નાશ કર્યો. લોકોની વાતોથી સતસંગીઓએ ડિમોરલાઈઝ થવાની જરૂર નથી. કોઈને નીચા દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, પાંચ મહિના પહેલાં બોટાદના સાળંગપુરમાં જેનું અનાવરણ કરાયું હતું, તે હનુમાનજીની 54 ફૂટ ઉંચી પ્રતિમા અત્યારે ફરી ચર્ચામાં છે. આ ચર્ચા એક રીતે વિવાદમાં પરિણમી છે. જેનું કારણ છે કિંગ ઓફ સાળંગપુર નામની પ્રતિમાની નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રો, જેમાં હનુમાનજીને નીલકંઠવર્ણીના દાસ તરીકે દર્શાવાયા છે. હનુમાનજી નીલકંઠવર્ણી સામે હાથ જોડીને ઊભા હોય તેવી આ તસવીરો સામે સાધુસંતોમાં રોષ વ્યાપી ગયો છે. સાધુ સંતો આ કૃત્યને સનાતન ધર્મનું અપમાન ગણાવી રહ્યા છે.

આ મામલે સાધુસંતો ઉપરાંત સામાન્ય લોકોમાં પણ વિરોધ જોવા મળ્યો છે. આ વિરોધમાં વધારો ત્યારે થયો, જ્યારે હનુમાનજીની મૂર્તિના કપાળ પર સ્વામિનારાયણનું તિલક જોવા મળ્યું છે. હનુમાનજીની પ્રતિમાના દર્શન માટે આવતા દર્શનાર્થીઓમાં પણ આ મામલે રોષ જોવા મળ્યો છે. લોકોની માગ છે કે બિનજરૂરી તસવીરો અને તિલકને દૂર કરાય. 

સાળંગપુર મંદિરનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં બોટાદનું જ વધુ એક સ્વામિનારાયણ મંદિર વિવાદમાં આવી ગયું. સાળંગપુરમાં જે બાબત ભીંતચિત્રમાં દર્શાવવામાં આવી છે, તે જ બાબત વડોદરાના કારેલીબાગ સંચાલિત કુંડળ ધામ મંદિરમાં મૂર્તિના સ્વરૂપમાં દેખાડવામાં આવી છે. નદીના પુલ પાસે બનાવેલ બગીચામાં હનુમાનજી સાધુ નીલકંઠવર્ણીને ફળાહાર કરાવતા હોય તેવી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આદર કરતાં હોય તેવી મૂર્તિઓ મૂકાઈ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news