માત્ર 75 દિ'માં સાડા ત્રણ કિ.મી.ના રન-વેનું કામ પૂર્ણ, અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટે રાષ્ટ્રીય વિક્રમ સ્થાપયો

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથકના રનવેન રીકાર્પેટીંગની વિક્રમરૂપ કામગીરીનું અદકેરુ મહત્વ એટલા માટે છે કે ભારતના મુખઇ, કોચી નવી દિલ્હી, બેંગાલુરુ અને હૈદ્રાબાદ બ્રાઉન ફિલ્ડ એરપોર્ટ વધારાના રનવે હાથવગો હોવાથી તેઓ પાસે વધુ સમય ઉપલબ્ધ રહે છે.

માત્ર 75 દિ'માં સાડા ત્રણ કિ.મી.ના રન-વેનું કામ પૂર્ણ, અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટે રાષ્ટ્રીય વિક્રમ સ્થાપયો

અમદાવાદઃ ખાનગી સમૂહ દ્વારા સંચાલિત અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાની મથકમાં સાડા ત્રણ કિ.મી લાંબા રનવેના રીકાર્કેટીંગની કામગીરી માત્ર ૭૫ દિવસના વિક્રમજનક ગાળામાં પૂર્ણ કરી છે. આ સમય ભારતના સમગ્ર બ્રાઉન ફિલ્ડ રનવેમ સર્વશ્રેષ્ઠ છે. અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથક કોવિડના સમય પૂર્વે દરરોજની ૨૦૦ ફ્લાઇટની અવરજવરથી ધમધમતું ગુજરાતનું સૌથી વ્યસ્ત મથક છે, નિયત ફ્લાઇટ્સના સમયપત્રકને અસર કર્યા વિના રનવેના રીકાપેંટીંગની કામગીરી ફક્ત નવ કલાકો ‘નોટમ’ (નોટીસ ટુ એરમેન)નો ઉપયોગ કરી માળખાકીય ક્ષેત્રમાં કામગીરીનો બહોળો અનુભવ ધરાવતા અદાણી ઉદ્યોગ સમૂહની અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિ.એ પડકારને ઝીલી લઇ હલ કર્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણતાને આરે લઇ જવા માટે માત્ર ૭૫ દિવસ કંપનીએ લીધા હતા. દિવસના બાકીના ૧૫ કલાક દરમિયાન સરેરાશ રોજની ૧૬૦ ફ્લાઇટ્સ માટે સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ નવે ખુલ્લો રાખવામાં આવ્યો હતો.

આ રનવે માટે ૨૦૦ કિ.મી.ના રોડની લગોલગ જથ્થામાં ડામર પાથરવામાં આવ્યો છે જ્યારે ૪૦ માળની ઇમારતમાં વપરાય તેટલી કોંક્રીટનો ડ્રેનેજ સિસ્ટમ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. અગાઉ ૧૦ નવેમ્બર ૨૦૧થી શરૂ થયેલા આ પ્રોજેક્ટ માટે કામકાજના ૨૦૦ દિવસનું આયોજન હતું. પરંતુ કંપનીની માળખાકીય કામકાજના અનુભવની ક્ષમતા અને તેમાં નિરંતર સુધારા કરવાના પ્રયાસો તેમજ પ્રવાસી જનતાને હાલાકી ઓછી પડે તે બાબતને ટોચની અગ્રતા આપીને અદાણી સમૂહે તેના ર૦૦ દિવસના લક્ષ્યને ઘટાડી સમાધનોમાં ઉમેરો કરી અડધાથી પણ ઓછા ૯૦ દિવસ કર્યા હતા. કંપનીના આ પ્રયાસોમાં સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથકની ઉત્સાહી ૬૦૦ ઉદ્યમી કર્મચારીઓની ટીમનો જુસ્સો અને ૨૦૦ જેટલા અત્યાધુનિક સાધનોની શક્તિના પ્રચંડ સહયોગથી આ પડકારજનક કામગીરી ૧૦ લાખ સુરક્ષિત માનવ ક્લાકોમાં તેની પૂર્ણતાના આખરી મુકામે કક્ત ૭૫ દિવસમાં પહોંચી હતી. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથકના રનવેન રીકાર્પેટીંગની વિક્રમરૂપ કામગીરીનું અદકેરુ મહત્વ એટલા માટે છે કે ભારતના મુખઇ, કોચી નવી દિલ્હી, બેંગાલુરુ અને હૈદ્રાબાદ બ્રાઉન ફિલ્ડ એરપોર્ટ વધારાના રનવે હાથવગો હોવાથી તેઓ પાસે વધુ સમય ઉપલબ્ધ રહે છે.

અદાણી સમૂહે નવેમ્બર-૨૦૨૦માં એસવીપી આંતર રાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન સંભાળ્યું ત્યારે અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિને રનવેની ગુણવત્તા ઉચ્ચ ધોરણને અનુરુપ નહી હોવાનું તેમજ ડ્રેનેજ રનવેને અવરોધક હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અવે રીકાર્પેટીંગનો પ્રોજેકટ ઉદ્યોગોના ધોરણે અનુસાર ત્રણ કેલેન્ડર વર્ષમાં બે તબક્કમાં પૂર્ણ કરવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો. પરંતુ કંપનીએ સમગ્ર કામગીરી શક્ય તેટલા ઓછા સમયમાં પૂરી કરવાનો પડકાર ઝીલી લીધો હતો.વધુમાં એરપોર્ટ ખાતે અન્ય કામોનું અપગ્રેડેશન પણ પુરુ કરવામાં આવ્યું છે. 

એરપોર્ટના રનવેથી લઇ ટેક્સી માર્ગોને સાંકળતી એરફિલ્ડ લાઇટીંગ સિસ્ટમનો ઝગમગાટ એક અલગ નજરાણું બનીને સરદાર વલભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટની શોભામાં અભિવૃધ્ધિ કરે છે. આ લાઇટીંગ સિસ્ટમ સમગ્ર જિલ્લાનાં ૧૨થી ૧૪ ગામોની વીજળી લાઇનની સમકક્ષ છે.  અમદાવાદ, લખનૌ, મંગલૂડ, જયપુર, ગૌતો અને હવનનપુરમ એપીકે મળી ૬ એપીક માટે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇડી સાથે કેનીયન એગ્રીમેન્ટ કર્યા છે. અદાણી એરપોર્ટ જક્કાસ વિબઇ ઇન્ટરનેશનલ એરપીટ બિકા ટકા હિન્ની પણ ધરાવે છે જ્યારે તેની અમે નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમ ૭ ટકા હિસ્સો ધરાવતી કંપની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news