Gujarat Election 2022: સૌરાષ્ટ્રના કયા દિગ્ગજ નેતાની BJP એ ટિકિટ કાપી? કોને આપી ટિકીટ, જાણો વિગતે

Gujarat Election 2022: સૌરાષ્ટ્રના દિગ્ગજ આહિર નેતા વાસણ આહીરની ભાજપે ટિકિટ કાપી છે. અંજાર બેઠક ઉપર ત્રિકમભાઈ છાંગાને ટિકિટ મળી છે. ત્રિકમ છાંગા શિક્ષિત અને ભાજપના સક્રિય કાર્યકર્તા છે.

Gujarat Election 2022: સૌરાષ્ટ્રના કયા દિગ્ગજ નેતાની BJP એ ટિકિટ કાપી? કોને આપી ટિકીટ, જાણો વિગતે

Gujarat Election 2022: ભાજપના ઉમેદવારોની યાદી આજે જાહેર થશ આજે ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટિલ આ બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા હતા. ત્યાં પીએમ મોદી, જેપી નડ્ડા અને અમિત શાહની હાજરીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં દરેક સીટના ઉમેદવારો પર વિસ્તારથી ચર્ચા કરી નામ ફાઇનલ કરી લેવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રના દિગ્ગજ આહિર નેતાની ભાજપે ટિકિટ કાપી છે. કચ્છની અંજાર બેઠક ઉપરથી વાસણ આહીરની ટિકિટ કપાઈ છે. અંજાર બેઠક ઉપર ત્રિકમભાઈ છાંગાને ટિકિટ મળી છે. ત્રિકમ છાંગા શિક્ષિત અને ભાજપના સક્રિય કાર્યકર્તા છે.

ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી
કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 અને કોંગ્રેસે 77 સીટ જીતી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news