SURAT માં દિવ્યાંગોનો આત્મવિશ્વાસ વધારવા માટે NGO દ્વારા કરાઇ અનોખી પહેલ

કુદરત વ્યક્તિમાં કોઈ ક્ષતિ ભલે આપે પરંતુ તેમને કોઈ ને કોઈ શક્તિ એવી આપે છે, જેને કારણે તેઓ જીવનમાં ક્યારેય હારતા નથી, દુનિયામાં અનેક લોકો એવા છે જેઓ પોતાની આંખો વડે દુનિયા જોઈ શકતા નથી, આવા દ્રષ્ટિહીન લોકોની હિમ્મત ભલ ભલાને વિચારતા કરી મુકાતી હોય છે, ત્યારે સુરતમાં આવેલી અંધજન વિદ્યાર્થીઓ માટેની શાળામાં એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરતના ઘોડદોડ રોડ પર આવેલી દક્ષિણ ગુજરાતની એક માત્ર દ્રષ્ટિહીન દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની શાળામાં 45 ફૂટ ઉંચી વોલ કલાઈબિંગ બનાવવામાં આવી છે. 
SURAT માં દિવ્યાંગોનો આત્મવિશ્વાસ વધારવા માટે NGO દ્વારા કરાઇ અનોખી પહેલ

તેજસ મોદી/સુરત : કુદરત વ્યક્તિમાં કોઈ ક્ષતિ ભલે આપે પરંતુ તેમને કોઈ ને કોઈ શક્તિ એવી આપે છે, જેને કારણે તેઓ જીવનમાં ક્યારેય હારતા નથી, દુનિયામાં અનેક લોકો એવા છે જેઓ પોતાની આંખો વડે દુનિયા જોઈ શકતા નથી, આવા દ્રષ્ટિહીન લોકોની હિમ્મત ભલ ભલાને વિચારતા કરી મુકાતી હોય છે, ત્યારે સુરતમાં આવેલી અંધજન વિદ્યાર્થીઓ માટેની શાળામાં એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરતના ઘોડદોડ રોડ પર આવેલી દક્ષિણ ગુજરાતની એક માત્ર દ્રષ્ટિહીન દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની શાળામાં 45 ફૂટ ઉંચી વોલ કલાઈબિંગ બનાવવામાં આવી છે. 

હાલ વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવી નથી રહ્યા પરંતુ શાળાના પ્રમુખ આનંદ ચોખાવાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી તેઓ વિચારી રહયા હતાં કે વિદ્યાર્થીઓ માટે કંઈ નવું કરવું છે અને તે પણ એવું કે જેનાથી વિદ્યાર્થીઓની આત્મશક્તિ વધી જાય, ત્યારે તેમને વિચાર આવ્યો કે દિવાલ  પર ચડવાની અલગ મજા કઈ અલગ હોય છે, જીહાં રોક ક્લાઇમ્બીંગ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ માટે તેમને સ્થાનિક સાંસદ સી. આર. પાટીલ સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો હતો, પાટીલે પણ તેમની ગ્રાન્ટમાંથી ભંડોળ પૂરું પાડવાની સંમતિ આપી હતી. મહત્વનું છેકે 81 વર્ષીય આનંદ ચોખાવાલા પણ ખુબ ઉત્સાહી છે, જેથી તેમને આ વિચાર આવ્યો હતો, વોલ કે રોક ક્લાઇમ્બીંગ એ એક સાહસની રમત છે,  જે દરેક વ્યક્તિના હાથની વાત પણ નથી. ઊંચા પર્વત પાર જે રીતે ચઢવાનું હોય છે તેવી જ રીતે દીવાલ એવી રીતે ચડવાનું હોય છે, જે ઘણાને મુશ્કેલ લાગે છે. 

આ શાળામાં 120 છોકરાઓ અને 50 છોકરીઓ છે. ગોવર્ધનદાસ ચોખાવાલા દ્વારા તેની સ્થાપના 1954 માં કરવામાં આવી હતી અને તે દક્ષિણ ગુજરાતમાં દૃષ્ટિહીન લોકો માટેની એકમાત્ર શાળા છે. ઘોડદોડ સ્થિત શાળામાં વિદ્યાર્થીઓ માટે 45 ફૂટ ઊંચી દિવાલ તૈયાર કરી છે. આ દિવાલ 14 લાખના ખર્ચે બનાવવામાં આવી છે, જેમાં નવસારીના સાંસદ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે તેમની ગ્રાન્ટમાંથી ફાળો આપ્યો છે. દૃષ્ટિહીન માટે શાળામાં દિવાલો જોઈને ઘણા લોકોને આશ્ચર્ય થાય છે પરંતુ શાળાના વિદ્યાર્થીઓનો પ્રતિસાદ પણ એટલો જ આશ્ચર્યજનક છે. જોકે જ્યારે હવે શાળા શરુ થશે ત્યારે વિદ્યાર્થીઓ આ દિવાલ પર ચઢી પોતાનો આત્મવિશ્વાસ વધુ વધારશે એમાં કોઈ બે મત નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news