પ્રધાનમંત્રીને ફરી જીતાડવા ચોકીદારો દ્વારા અનોખો પ્રચાર

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ પક્ષો જીત માટે એડીચુટીનું જોર લગાવી રહી છે. સુરતમાં ચોકીદારો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોજીને જીતાડવા માટે અનોખો પ્રયાસ કરાયો હતો.

પ્રધાનમંત્રીને ફરી જીતાડવા ચોકીદારો દ્વારા અનોખો પ્રચાર

ચેતન પટેલ, સુરત: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ પક્ષો જીત માટે એડીચુટીનું જોર લગાવી રહી છે. સુરતમાં ચોકીદારો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોજીને જીતાડવા માટે અનોખો પ્રયાસ કરાયો હતો.

ચોકીદાર ચોર હૈ નો વિપક્ષ નારો લગાવી રહી હતી. ત્યારે મોદી દ્વારા ‘મે ભી ચોકીદાર’ કેમ્પેઇનીગ શરુ કરવામા આવ્યુ હતુ. આ કેમ્પેઇનને ભારે સફળતા પણ મળી હતી. તો બીજી તરફ લોકસભાની ચૂંટણી નજીક છે. ત્યારે સુરતમા ચોકીદારો દ્વારા સુરત રેલ્વે સ્ટેશન જઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રચાર કર્યો હતો.

ચોકીદારો દ્વારા સુરત રેલ્વે સ્ટેશન પર યુ.પી તથા બિહાર જતા મુસાફરોને કમળ આપી વડાપ્રધાનને વોટ આપી તેમને વધુમા વધુ સીટોથી વિજયી બને તે માટે અપીલ પણ કરી હતી. મોટી સંખ્યામા ચોકીદારોએ આ કાર્યક્રમમા ભાગ લીધો હતો અને તેઓ દ્વારા વધુમા વધુ મુસાફરોને સંપર્ક કરી મોદી સરકારને જીતાડવા અપીલ પણ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news