લો થઈ ગઈ શરૂઆત! વડોદરામાં ગરબા કરતા તબીબને આવ્યો હાર્ટએટેક, જાતે જ એમ્બ્યુલન્સને ફોન કર્યો

Navratri 2023 : ગરબા શરૂ કર્યાના 20 મિનિટમાં જ તબીબને છાતીમાં દુખાવો ઉપડ્યો... જો તબીબી પોતાના આરોગ્યને અવગણીને ગરબા ચાલુ રાખ્યા હોત તો સ્થિતિ ગંભીર બની હોત અને તેમનો જીવ પણ ગયો હોત

લો થઈ ગઈ શરૂઆત! વડોદરામાં ગરબા કરતા તબીબને આવ્યો હાર્ટએટેક, જાતે જ એમ્બ્યુલન્સને ફોન કર્યો

Vadodara News : આજથી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે, સાથે જ હાર્ટએટેકની શરૂઆત પણ થઈ ગઈ છે. હાર્ટએટેકની ઘટનાઓ જીવલેણ સાબિત થઈ રહી છે. ખાસ કરીને નવરાત્રિમાં ગરબા પર ભીડ વચ્ચે, માટીના ધુમાડા વચ્ચે ગભરામણ થવાના કિસ્સા વધી શકે છે. આવો માહોલ હાર્ટએટેકને દસ્તક આપી શકે છે. ત્યારે હવે સાચવવાની જરૂર આવી પડી છે. વડોદરામાં ગરબા રમતા રમતે એક તબીબને હાર્ટએટેક આવ્યો હતો. જોકે, તબીબે જાતે જ સતર્કતા દાખવતા તેમનો જીવ બચી ગયો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના જુના પાદરા રોડ પર યોજાયેલ એક ગરબા ગ્રાઉન્ડ પર આ બનાવ બન્યો હતો. 41 વર્ષીય તબીબે ગરબા રમવાનું શરૂ કર્ય હતું, ને અચાનક 20 મિનિટ પણ માંડ ગરબા રમ્યા હશે, ત્યાં તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. પોતાની સ્થિતિ કળી ગયેલા તબીબ તરત જ ગરબા છોડીને બાજુમાં બેસી ગયા હતા. એટલુ જ નહિ, તેમણે જાતે જ એબ્યુલન્સને ફોન કર્યો હતો. ગ્રાઉન્ડ પરથી તેમને ફટાફટ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આમ, સમયસર તબીબે સતર્કતા દાખવતા તેમનો જીવ બચી ગયો હતો. બાદમાં હોસ્પિટલમાં તેમનું તબીબી પરીક્ષણ કરાયા બાદ એન્જીયોપ્લાસ્ટી કરવી પડી હતી. જો તબીબી પોતાના આરોગ્યને અવગણીને ગરબા ચાલુ રાખ્યા હોત તો સ્થિતિ ગંભીર બની હોત અને તેમનો જીવ પણ ગયો હોત.

ગરબા રમતા છાતીમાં દુખાવો ઉપડે તો આટલું કરજો 
આવા કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. તેથી તબીબો સલાહ આપી રહ્યા છે કે, ગરબા રમતા સમયે છાતીમા દુખાવો થાય તો તેને અવગણશો નહિ. તરત જ સાઈડમાં નીકળી જજો અને આયોજકોની મદદથી તબીબી ટ્રીટમેન્ટ લઈ લેજો. તબીબી સલાહથી તાત્કાલિક સારવાર શરૂ કરાવો. છાતીમાં દુખાવો ઉપડે તો ગરબા રમવાનું ચાલુ ન રાખતા. બેચેની અનુભવાય તો તાત્કાલિક બેસી જાઓ. હલન-ચલન ન કરવું. આવા કિસ્સામાં છાતીના દુખાવાને અવગણશો નહિ. 

હાર્ટની સમસ્યાના મુખ્ય કારણો
કોલેસ્ટ્રોલ, સુગર અને બ્લડ પ્રેશર, ધૂમ્રપાન અને કસરતનો અભાવ, હાર્ટને લગતી સમસ્યાની અવગણના 

અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં જાણાવાયું કે, નવરાત્રિમાં 26 ખાનગી હોસ્પિટલના તબીબો સેવા આપશે. સાથે જ AMA દ્વારા સૂચવાયું કે, બ્લડ પ્રેશર, ડાયબીટીશ, હૃદયની સમસ્યા હોય તે સાવચેત રહે. રોગથી પીડાતા લોકો લાંબા સમય સુધી ગરબા રમવાનું ટાળે. નિયમીત દવા લેવાની સાથે ડોક્ટરની સલાહ મુજબ ગરબા રમવા. 

ખેલૈયાઓે મહત્વના સૂચનો 

  • નિયમીત એક્સરસાઇઝ ન કરતા 40 વર્ષથી વધારેની ઉંમરના ખેલૈયાઓના પરિવારમાં ડાયાબીટીસ, બ્લડ પ્રેશર  કે હ્રદયની સમસ્યાનો ઇતિહાસ હોય તો ગરબા પહેલાં હ્વદયની તપાસ કરવી 
  • પરિવારમાં ડાયાબીટીસ, બ્લડ પ્રેશર  કે હ્રદયની સમસ્યાનો ઇતિહાસ હોય તો ગરબા પહેલાં હ્વદયની તપાસ કરવી
  • ગરબા રમતી વખતે ચક્કર આવે, છાતીમાં દુખાવો, માથાનો દુખાવો થાય, ઉલ્ટી થાય , પરસેવાની સાથે ગભરામણ થાય, મુંઝારો થાય, શ્વોસોસ્વાસની તકલીફ થાય તો ગરબા રમાવાનુ બંધ કરી શાંતીથી બેસવું  
  • ખેલૈયાઓ દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવે
  • ગરબા રમતી વખતે વારંવાર લીંબુ પાણી અને જ્યુસ પીવો
  • કેળું, નારીયેળ પાણી સહિત પોટેશિયમ અને મેગ્નેશીયમ વાળું ખોરાક લેવો
  • ભરપેટ ખોરાક લીધા બાદ ગરબા ના રમવા
  • ગરબાના સ્થળે પ્રાથમિક સારવાકની સુવિધા સાથે ડોક્ટરને ફરજ પર રાખવા
  • જો કોઇ બિમારી હોય તો નજીકના લોકોને અગાઉથી જાણ કરવી જેથી સ્વાસ્થ્યની તકલીફ થાય તો મદદ મળી શકે
  • આયોજન સ્થળની નજીકની હોસ્પીટલ સાથે ઔપચારીક જોડાણ કરવુ જેથી કોઇ ઘટના બને તો હોસ્પીટલને જાણ કરી શકાય
  • ગરબા સ્થળે હાજર સપોર્ટ સ્ટાફ , સુરક્ષાકર્મી, અન્ય લોકોને CPRની ટ્રેનિંગ આપવી
  • સાથે જ નવરાત્રિ દરમિયાન નિયમિત દવા લેવી અને ડોક્ટરોની સલાહ મુજબ ગરબા રમવા.
  • ખેલૈયાઓએ ગરબા પહેલાં ઇકો અને ટીએમટી રીપોર્ટ કરાવવા સલાહ આપી છે. 

આ રીતે બનાવો કેનેડા જવાનો ફુલપ્રુફ પ્લાન, સ્ટુડન્ટ વિઝા માટે આટલી તૈયારી કરી રાખજો

કોલેસ્ટ્રોલ, સુગર અને બ્લડ પ્રેશરની તકલીફ કારણરૂપ હોઈ શકે છે
જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો તેજસ પટેલ જણાવે છે કે, હજુ કોલેજ પૂરી ન કરી હોય, તેવો યુવાન ગરબા રમતાં ઢળી પડે, તે વાત ચિંતાજનક છે. આવા કિસ્સા દેખાડે છે કે હાર્ટની સમસ્યાઓ યુવાનો માટે સાયલન્ટ કિલર બની રહી છે. ગરબા તો એક પ્રકારની શારીરિક કસરત જ છે, ત્યારે સવાલ એ થાય કે ગરબા રમતી વખતે કોઈ કેવી રીતે જીવ ગુમાવી શકે. જો કે આમ થઈ રહ્યું છે. આ પ્રકારના બનાવો માટે કોલેસ્ટ્રોલ, સુગર અને બ્લડ પ્રેશરની તકલીફ કારણરૂપ હોઈ શકે છે. ધૂમ્રપાન અને કસરતનો અભાવ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત હાર્ટને લગતી સમસ્યા હોય, પણ તેને અવગણવામાં આવે, ત્યારે તે ઘાતક સાબિત થાય છે. 

ગરબા ગ્રાઉન્ડ પર તબીબોની ટીમ હાજર રહેશે 
નવરાત્રી દરમિયાન આરોગ્યલક્ષી માર્ગદર્શિકા અંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, નવરાત્રી મહોત્સવ ગુજરાતીઓ માટે શક્તિનો મહિમા છે. ગરબાના ખાનગી આયોજકોએ આરોગ્યની ટીમ રાખવી ફરજિયાત કરી છે. આ વખતે મોટી નવરાત્રી થતી હશે ત્યાં ખાસ કાળજી રાખવામાં આવશે. ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકા વિસ્તારમાં આરોગ્યની વ્યવસ્થા રહેશે. કોઈપણ પ્રકારના બનાવમાં આરોગ્યની સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. CHC અને PHC સેન્ટરમાં પણ આ મુજબની સૂચના આપવામાં આવી છે. ગરબાના આયોજકો દ્વારા પણ આ વ્યવસ્થા કરવાની રહેશે. ગરબા ગ્રાઉન્ડ પર મેડિકલ ટીમની રાખવાની વ્યવસ્થા આયોજકોએ કરવાની રેહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news