અમદાવાદનો જબરો કિસ્સો : સુહાગરાત પર પત્નીની ‘ના’ થી પતિનો ગયો પિત્તો, પછી પતિએ કર્યું એવું કે...

અમદાવાદમાં નવપરિણીત યુગલનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એ પણ સુહાગરાતનો. લગ્ન પછીને સુહાગરાતે બન્યો એવો બનાવ કે, બે દિવસના લગ્ન જીવનનો કરુણ અંજામ આવ્યો હતો

અમદાવાદનો જબરો કિસ્સો : સુહાગરાત પર પત્નીની ‘ના’ થી પતિનો ગયો પિત્તો, પછી પતિએ કર્યું એવું કે...

જાવેદ સૈયદ/અમદાવાદ :અમદાવાદમાં નવપરિણીત યુગલનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એ પણ સુહાગરાતનો. લગ્ન પછીને સુહાગરાતે બન્યો એવો બનાવ કે, બે દિવસના લગ્ન જીવનનો કરુણ અંજામ આવ્યો હતો, અને વાત પોલીસ સ્ટેશન પહોંચી હતી. જે ઘરમાં બે દિવસ પહેલા લગ્નના ગીતો ગવાતા હતા, ઢોલ વાગતા હતા, તે પરિવાર નવપરણીત યુગલ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યું છે. જુઓ શું બન્યું...

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના કૃષ્ણનગરમાં પહેતા યુવકના લગ્ન દિલ્હીની યુવતી સાથે 29 એપ્રિલના રોજ થયા હતા. પોતાના જ સમાજની યુવતી સાથે પરણ્યા બાદ નવદંપતી અમદાવાદ આવ્યું હતું. પણ, લગ્ન બાદ સુહાગરાતના દિવસે પત્નીએ તબિયત ખરાબ હોવાથી સુહાગરાત મનાવવાની ના પાડી હતી. ટ્રેનમાં મુસાફરી દરમિયાન તબિયત ખરાબ હોવાથી તેણે પતિને ના પાડી હતી. પત્નીએ સુહાગરાતની ના પાડતા પતિનો અહમ ઘવાયો હતો, અને પત્નીના અન્ય પુરુષની સાથે સંબંધ હોવાની શંકા વ્યક્ત કરીને તેણે પત્નીને માર માર્યો હતો. 

આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે પરણિતાની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે. આમ, બે જ દિવસમાં લગ્ન જીવન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, અને મહેંદી લગાવેલા હાથ સાથે પરિણીતા પોલીસ સ્ટેશનમાં જોવા મળી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news