રાજકોટ: મહિલાએ સગા ભત્રીજાનું અપહરણ કરીને હત્યા કરી, કારણ જાણી કંપારી છુટશે

શહેરની મહેશ્વરી સોસયાટીમાં રહેતા એક પરિવારમાં ત્યારે હડકંપ મચી ગયો જ્યારે બે ભાઇઓ વચ્ચે એકનાં એક બાળકનું અપહરણ બાદ હત્યા થઇ ગઇ. જો કે આ મુદ્દે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ મુદ્દે પોલીસે તપાસ કરતા જેઠાણીએ જ ભત્રીજાનું અપહરણ કરીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ મુદ્દે પોલીસે આરોપી જેઠાણી એટલે કે પારૂલ વશરામ ડોબરીયાની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, ઝેટાણી દ્વારા જ તેનાં ભત્રીજાનું અપહરણ કરવામાં આવ્યુ હતું. 
રાજકોટ: મહિલાએ સગા ભત્રીજાનું અપહરણ કરીને હત્યા કરી, કારણ જાણી કંપારી છુટશે

રાજકોટ : શહેરની મહેશ્વરી સોસયાટીમાં રહેતા એક પરિવારમાં ત્યારે હડકંપ મચી ગયો જ્યારે બે ભાઇઓ વચ્ચે એકનાં એક બાળકનું અપહરણ બાદ હત્યા થઇ ગઇ. જો કે આ મુદ્દે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ મુદ્દે પોલીસે તપાસ કરતા જેઠાણીએ જ ભત્રીજાનું અપહરણ કરીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ મુદ્દે પોલીસે આરોપી જેઠાણી એટલે કે પારૂલ વશરામ ડોબરીયાની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, ઝેટાણી દ્વારા જ તેનાં ભત્રીજાનું અપહરણ કરવામાં આવ્યુ હતું. 

સુરતમાં હિટ&રન: શ્રમજીવી પરિવારનાં એક બાળકનું મોત, ચાલક ઘટના સ્થળેથી ફરાર
આ મુદ્દે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ભત્રીજો આંગડવાડીમાં હતો. ત્યારે જેઠાણીએ તેનું અપહરણ કર્યું હતું. ત્યાર બાદ બાળકનું ગળુદબાવીને મારી નાખ્યો હતો. મૃતકને વોકળામાં ફેંકીને ઘરે આવી ગઇ હતી. પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. ત્યારે અચાનક હત્યાનો એંગલ આવ્યો હતો. પોલીસ દ્વારા ગણતરીનાં કલાકોમાં જેઠાણીની ધરપકડ કરવામાં આવી હતી. જો કે મહિલાનું નામ સામે આવતાની સાથે જ પરિવાર આઘાતમાં આવી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, જેઠાણીને પોતાને પણ સંતાન હતું. જો કે પોતાના સંતાન કરતા દેરાણીના પુત્રને વધારે માન મળતું હોય તેને ઇર્ષા આવતી હતી. આખરે ઇર્ષાની આગ ઓલવવા તેણે આવો રસ્તો અપનાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news