ઉનાળામાં રોજ કરો સત્તૂનું સેવન, શરીરને મળે છે જરૂરી પોષકતત્વો અને લૂથી પણ રહેશો સુરક્ષિત

Sattu Powder Health Benefits: સત્તુમાંથી શરીરને જરૂરી તમામ પ્રકારના પોષક તત્વો મળે છે. ઉનાળામાં સત્તુનું સેવન કરવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને લૂ લાગવાનું જોખમ પણ ઘટે છે.

ઉનાળામાં રોજ કરો સત્તૂનું સેવન, શરીરને મળે છે જરૂરી પોષકતત્વો અને લૂથી પણ રહેશો સુરક્ષિત

Sattu Powder Health Benefits: ઉનાળામાં સત્તુનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. સત્તુમાં પ્રોટીનનું પ્રમાણ સારું એવું હોય છે જેનો ઉપયોગ કરવાથી શરીરને ઘણા લાભ થાય છે. સતુને ચણામાંથી બનાવવામાં આવે છે જેમાં 22 ટકા પ્રોટીન અને 22% થી વધુ ડાયેટરી ફાઇબર હોય છે. તેને તમે અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકો છો અને તેનો સ્વાદ પણ સારો હોય છે. સત્તુમાંથી શરીરને જરૂરી તમામ પ્રકારના પોષક તત્વો મળે છે. ઉનાળામાં સત્તુનું સેવન કરવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને લૂ લાગવાનું જોખમ પણ ઘટે છે. 

ડિહાઇડ્રેશન
સત્તુ પોષક તત્વોનો ભંડાર હોય છે અને તેની તાસિર ઠંડી હોય છે જેના કારણે ગરમીના દિવસોમાં તેનું સેવન કરવાથી ડીહાઇડ્રેશનની સમસ્યા થતી નથી. ઉનાળામાં તમે સત્તુનું શરબત બનાવીને પી શકો છો તેનાથી પેટને ઠંડક મળે છે.

આ પણ વાંચો: 

એનર્જી વધે છે

શરીરમાં ઉર્જાનો અભાવ હોય તો સત્તુનું સેવન કરવું જોઈએ. સતુનું શરબત પીવાથી એનર્જી બુસ્ટ થાય છે અને શરીરને જરૂરી મિનરલ્સ મળે છે. જેના કારણે શરીરમાં એનર્જી રહે છે.

સ્થૂળતા દૂર કરે છે

સત્તુ ચરબી ઓછી કરવામાં પણ મદદ કરે છે. સત્તુમાં ફાઇબરનું પ્રમાણ સારું એવું હોય છે જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે જેના કારણે વારંવાર ભૂખ લાગતી નથી. વજન ઓછું કરવું હોય તો તમે સત્તુનું શરબત અથવા તો સત્તુના પરાઠા ખાઈ શકો છો. 

કબજિયાત

ગરમીના દિવસોમાં ઘણા લોકોને કબજિયાતની ફરિયાદ રહે છે. આ તકલીફમાં પણ સત્તુ રાહત આપી શકે છે. ઉનાળાના દિવસોમાં સત્તુને તમારી ડાયટમાં સામેલ કરશો તો કબજિયાત જેવી પાચન સંબંધિત સમસ્યા દૂર કરવામાં મદદ મળશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news