ફુલાવરથી વધુ સ્વાસ્થ્યવર્ધક છે તેના પાંદડા, કચરો સમજીને ફેંકતા પહેલાં જાણો તેના ફાયદા

ઇન્ટરનેશન જર્નલ ઓફ સાયન્ટિફિક એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ અનુસાર, ફુલાવરના પાનમાં ભરપૂર માત્રામાં વિટામિન એ રહેલું છે. જેના સેવનથી સીરમ રેટિનોલનું લેવલ વધે છે, જે આંખોને સ્વસ્થ રાખવા અને રતાંધળાપણામાં પણ ફાયદાકારક ગણાય છે.

ફુલાવરથી વધુ સ્વાસ્થ્યવર્ધક છે તેના પાંદડા, કચરો સમજીને ફેંકતા પહેલાં જાણો તેના ફાયદા

નવી દિલ્હીઃ ફુલાવર એ શિયાળામાં મળતી મોસમી શાકભાજી છે. ભારતીય ઘરોમાં ફૂલકોબીના પરાઠા, ભજીયા, શાકથી લઇને અનેક વ્યંજનોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, મોટાંભાગે લોકો તેનો સફેદ ભાગ જ ખાવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, તેના પાન અને મૂળમાં સૌથી વધુ પોષકતત્વો મોજૂદ છે? જો તમે પણ આ શાક સમારતી વખતે તેના પાંદડા અને મૂળને કચરો સમજીને ફેંકી દો છો તો એકવાર આ લેખ ચોક્કસથી વાંચી લો. ફુલાવરના પાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તો હોય છે જ સાથે જ તેમાં ફુલાવર કરતાં બેગણુ વધારે પ્રોટીન, ફાઇબર, ફાસ્ફોરસ અને ત્રણ ગણુ વધારે ખનિજની સાથે ભરપૂર માત્રામાં આયર્ન અને કેલ્શિયમ મોજૂદ હોય છે. તેના નિયમિત સેવનથી થતાં ફાયદાઓ વિશે અહીં જાણો.

​આંખો માટે ફાયદાકારક-
ઇન્ટરનેશન જર્નલ ઓફ સાયન્ટિફિક એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ અનુસાર, ફુલાવરના પાનમાં ભરપૂર માત્રામાં વિટામિન એ રહેલું છે. જેના સેવનથી સીરમ રેટિનોલનું લેવલ વધે છે, જે આંખોને સ્વસ્થ રાખવા અને રતાંધળાપણામાં પણ ફાયદાકારક ગણાય છે.

​ડાયાબિટીસના દર્દીઓ માટે-
આ પાનમાં હાઈ પ્રોટીન અને ફાઇબરની સાથે ઓછી માત્રામાં કાર્બોહાઇડ્રેટ જોવા મળે છે. તેથી તેના સેવનથી બ્લડશુગરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તેને ડાયટમાં અલગ અલગ પ્રકારે સમાવેશ કરી શકો છો.

​બાળકોમાં પોષણ-
એક રિસર્ચ અનુસાર, ફુલાવરના પાન પ્રોટીન અને ખનિજ તત્વોનો સારો સ્ત્રોત છે, જે બાળકોના વિકાસ અને વૃદ્ધિ માટે આવશ્યક છે. ફુલાવરના પાનનું રોજિંદા સેવનથી કરવાથી કુપોષિત બાળકોને સ્વાસ્થ્ય ફાયદાઓ થાય છે. આનાથી તેઓની ઉંચાઇ, વજન અને હીમોગ્લોબિન સ્તરમાં પણ વધારો થાય છે.

​લોહીની ઉણપ-
ડિપાર્ટમેન્ટ ઓફ ન્યૂટ્રિશન એન્ડ ડાયટિક્સ દ્વારા પ્રકાશિત એક રિસર્ચ અનુસાર, ફુલાવરના પાંદડામાં આયર્નનો ભરપૂર સ્ત્રોત રહેલો છે. એવાામાં લોહીની ઉણપ દૂર કરવા માટે તેનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. તેના 100 ગ્રામ પાનથી 40 મિલીગ્રામ આયર્ન મળે છે. અનેક વૈજ્ઞાનિક શોધમાં પણ એનિમિયાના ઇલાજમાં ફુલાવરના પાનને કારગત ગણવામાં આવે છે.

​હૃદય માટે ફુલાવરના પાન-
આ પાન એન્ટી-ઓક્સિડન્ટ્સ અને એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી ગુણોથી ભરેલા છે, જે હૃદયની અનેક પ્રકારની ગંભીર બીમારીઓથી બચાવવાનું કામ કરે છે. સાથે જ તેમાં મોજૂદ લૉ ફેટ અને હાઇ ફાઇબરના કારણે તે કાર્ડિયાક દર્દીઓ માટે ફાયદાકારક ગણાય છે.

​કેલ્શિયમથી માત્રા-
આ પાન કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત છે, જેના કારણે હાડકામાં દુઃખાવો, ઘૂંટણમાં દુઃખાવો, ઓસ્ટિયોપોરોસિસથી ગ્રસ્ત દર્દીઓ માટે ફુલાવરના પાનનું સેવન ફાયદાકારક ગણાય છે.

(Disclaimer- અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ નથી કરતું. વધુ માહિતી માટે તમારાં ડૉક્ટરનો સંપર્ક કરો)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news