અમિત શાહે કેમ કર્યા 'કાંતારા'ના વખાણ? ફિલ્મ વિશેના નિવેદનનો વીડિયો થઈ ગયો વાયરલ

Amit Shah Praised Kantara: ગૃહમંત્રી અમિત શાહે ફિલ્મ ‘કાંતારા’ના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મેં હાલમાં જ ફિલ્મ ‘કાંતારા’ જોઈ છે. મને ફિલ્મ જોયા પછી દક્ષિણ કન્નડ જિલ્લાની સંસ્કૃતિ વિશે ખબર પડી. દક્ષિણ કન્નડ જિલ્લામાં ધાર્મિક પરંપરાઓ, સાંસ્કૃતિક પરંપરાઓ જોવા મળે છે. આ ફિલ્મ જોયા પછી મને ખબર પડી કે રાજ્યમાં આવી સમૃદ્ધ પરંપરાઓ છે.

અમિત શાહે કેમ કર્યા 'કાંતારા'ના વખાણ? ફિલ્મ વિશેના નિવેદનનો વીડિયો થઈ ગયો વાયરલ

Amit Shah Praised Kantara: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ કર્ણાટકના પ્રવાસે છે. અમિત શાહ કર્ણાટકમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે. આ પ્રચાર પ્રસાર દરમિયાન અમિત શાહે જાહેર સભાને સંબોધતી વખતે અચાનક કાંતારા ફિલ્મનું નામ લઈને કંઈક એવું કહ્યું કે, આ વીડિયો જોતજોતામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. શાહે પોતાના નિવેદનમાં ફિલ્મ કાંતારાના ભરપુર વખાણ કર્યા હતાં. એક વાત તો ચોક્કસ છેકે, અમિત શાહના કાંતારા અંગેના નિવેદન બાદ આ ફિલ્મ સાથે સંકળાયેલાં તમામને ગર્વની અનુભુતિ થઈ હશે. ઉલ્લેખનીય છેકે, ગૃહમંત્રી અમિત શાહ હાલ કર્ણાટકના પ્રવાસે છે. શાહે ગઈકાલે દક્ષિણ કન્નડ જિલ્લાના પુત્તુર ખાતે સભા સંબોધી હતી. જ્યાં તેમણે અભિનેતા રિષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા‘નો ઉલ્લેખ કર્યો હતો.

ગૃહમંત્રી અમિત શાહે ફિલ્મ ‘કાંતારા’ના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મેં હાલમાં જ ફિલ્મ ‘કાંતારા’ જોઈ છે. મને ફિલ્મ જોયા પછી દક્ષિણ કન્નડ જિલ્લાની સંસ્કૃતિ વિશે ખબર પડી. દક્ષિણ કન્નડ જિલ્લામાં ધાર્મિક પરંપરાઓ, સાંસ્કૃતિક પરંપરાઓ જોવા મળે છે. આ ફિલ્મ જોયા પછી મને ખબર પડી કે રાજ્યમાં આવી સમૃદ્ધ પરંપરાઓ છે.
 

— Nivane Kalanath Bhat (@KalanathNivane) February 11, 2023

 

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘કાંતારા’એ બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. 2022ની બ્લોકબસ્ટર મૂવીઝમાં તેનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં અભિનયની સાથે રિષભ શેટ્ટીએ આ ફિલ્મના નિર્દેશનની કમાન પણ સંભાળી છે. ફિલ્મ કાંતારામાં ઋષભ શેટ્ટી સિવાય સપ્તમી ગૌડા, અચ્યુત કુમાર અને કિશોર કુમાર જી. પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. રૂ. 16 કરોડના બજેટમાં બનેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર 400 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. મેકર્સે થોડા સમય પહેલા ‘કાંતારા 2‘ની જાહેરાત કરી હતી. ત્યારથી આ ફિલ્મ માટે ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ છે. આ ફિલ્મને લઈને મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે. રિષભ શેટ્ટીએ પણ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે ‘આ ફિલ્મની પ્રિક્વલ બનશે’. ફિલ્મ ‘કાંતારા 2’માં પહેલા ભાગના પહેલાની કહાની બતાવવામાં આવશે. ‘કાંતારા 2’ 2024માં રિલીઝ થઈ શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news