જમ્મૂ-કાશ્મીરના શોપિયાંમાં મોટી આતંકી હુમલો, 4 પોલીસ જવાનો શહીદ

છેલ્લા કેટલાક દિવસોથી ઘાટીમાં આતંકી હુમલામાં વધારો થયો છે. વધુ એક આતંકી સેનાને નિશાને લઈ રહ્યાં છે. તો બીજીતરફ સેના પણ ઓપરેશન ચલાવી રહી છે. 

જમ્મૂ-કાશ્મીરના શોપિયાંમાં મોટી આતંકી હુમલો, 4 પોલીસ જવાનો શહીદ

શોપિયાં: જમ્મૂ-કાશ્મીરના શોપિયાંમાં બુધવારે બપોરે આતંકી હુમલો થયો છે. આતંકીઓના આ હુમલામાં 4 પોલીસ જવાનો શહીદ થયા છે. હુમલો કરનારા આતંકીઓ કોણ છે તેની જાણકારી મળી નથી. હુમલાના સમાચાર મળતા જ તમામ ઓફિસરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 

મહત્વનું છે કે જમ્મૂ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બુધવારની સવારે જ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. 

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ખાનબળના મુનિવાદ ગામમાં આતંકવાદીઓની હાજરીની ખાતરીની સૂચનાના આધાર પર સુરક્ષાદળોએ આજે સવારે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. 

— ANI (@ANI) August 29, 2018

જમ્મૂ-કાશ્મીર પોલીસના ડીજીપી એસપી વૈદ્યએ પણ આ ઓપરેશનની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું, આતંકવાદીઓએ સર્ચ ટૂકડી પર ગોળીબારી કરી. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીની સાથે અથડામણ શરૂ થઈ ગઈ હતી. આ અથડામણ બાદ વિસ્તારમાં ટ્રેન અને ઈન્ટરનેટ સર્વિસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news