ભોપાલમાં આજે BJP મહાકુંભ: PM મોદી આપશે ચૂંટણી જીતવાનો મંત્ર, પહોંચશે 10 લાખ કાર્યકર્તા

ભાજપના કાર્યકર્તા મહાકુંભની બધી જ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે અને રાજધાનીના બધા ભાગમાં મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવમાં આવ્યો છે.

ભોપાલમાં આજે BJP મહાકુંભ: PM મોદી આપશે ચૂંટણી જીતવાનો મંત્ર, પહોંચશે 10 લાખ કાર્યકર્તા

ભોપાલ: આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ આજે ભોપાલમાં જંબુરી મેદાનમાં કાર્યકર્તા મહાકુંભ દ્વારા ચૂંટણી શંખનાદ કરવા જઇ રહ્યા છે. ભાજપના કાર્યકર્તા મહાકુંભની બધી જ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે અને રાજધાનીના બધા ભાગમાં મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવમાં આવ્યો છે. બીજેપીનો દાવો છે કે મહાકુંભમાં લગભગ 10 લાખ કાર્યકર્તા ભાગ લઇ શકે છે. તે દરમિયાન ભેલ વિસ્તારમાં બધી સ્કૂલો બંધ રહશે અને ટ્રાફિક પર ડાયવર્ટ કરવામાં આવશે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોદી આજે બપોરે 12:30 વાગે ભોપાલના રાજાભોજ એરપોર્ટ પહોંચશે, જ્યાંથી તેઓ સીધા જંબૂરી મેદાન માટે રવાના થશે. જંબૂરી મેદાન પહોંચવા પર મોદી લગભગ એક કલાક સુધી કાર્યકર્તાઓને સંબોધિત કરશે, ત્યારબાદ તેઓ દિલ્હી પરત ફરશે.

8 હજાર પોલીસકર્મીઓ તૈનાત
રાજધાનીમાં પ્રધાનમંત્રી મોદીના આગમનને લઇને લગભગ 8 હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં ઘણા ઓફિસરો પણ શામેલ છે. આ સાથે બોમ્બ ર્સ્ક્વોડ અને ડોગ ર્સ્ક્વોડની પણ 11 ટીમ તૈનાત કરવામાં આવી છે. ઓફિસરોના જણાવ્યા અનુસાર, વહીવટ તંત્ર દરેક પ્રકારની પરિસ્થિતિઓને પહોંચી વડવા માટે તૈયાર છે. ત્યારે મહાકુંભમાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આવતા હોવાના કારણે 5 મેદાનો ભાડા પર લેવામાં આવ્યા છે. તેથી કર્યકર્તાઓ અહીં તેમના વાહનો પાર્ક કરી શકે. આ ઉપરાંત 11 ડોમ અને 5 હેલીપેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કાર્યક્રમમાં શામેલ થતા કાર્યકર્તાઓ માટે ખાવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એટલું જ નહીં તેમને લાવવા અને લઇ જવા માટે લગભગ 12 હજાર બસો અને 8 હજાર ખાનગી વાહનો ભાડે લેવામાં આવ્યા છે.

કાર્યકર્તાઓમાં ઉર્જાનું નવું સંચાર
તમને જણાવી દઇએ કે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ કાર્યક્રમ અને તેની સાથે જોડાયેલી તૈયારીઓ વિશે જણાવી ચૂક્યાં છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહએ કહ્યું હતું કે ‘‘મહાકુંભ કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનું સંચાર કરશે. વર્ષ 2008 અને 2013માં પણ અમે મહાકુંભનું આયોજન કરી વિજય મેળવ્યો હતો. આ વખતે પણ કાર્યકર્તા મહાકુંભની તૈયારીઓમાં લાગેલા છે. પડકાર મોટો છે, કાર્યક્રમ મોટો છે આ દ્રષ્ટિએ અમારી તૈયારીઓ પણ મોટી છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહએ જણાવ્યું હતું કે કાર્યકર્તા મહાકુંભમાં પ્રદેશની 230 વિધાનસભાઓના 65 હજારથી વધુ મતદાન કેન્દ્રોથી કાર્યકર્તા શામેલ થશે.’’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news