350 કરોડથી વધુ રોકડ જપ્ત થવાના મામલામાં કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું કે

Dhiraj Sahu On IT Raid: કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુએ આવકવેરા વિભાગના દરોડા પર પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે હું દરેક વસ્તુનો જવાબ આપીશ.
 

350 કરોડથી વધુ રોકડ જપ્ત થવાના મામલામાં કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું કે

નવી દિલ્હીઃ Dhiraj Sahu On Income Tax Raid: કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુએ દરોડા દરમિયાન મળેલા 350 કરોડથી વધુના  મામલામાં પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ મારા પૈસા નથી અને તેનાથી કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી. 

આવકવેરા વિભાગના દરોડાને લઈને ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું- જે પૈસા મળી આવ્યા છે, જેમાં કોંગ્રેસ કે અન્ય કોઈ વિપક્ષી દળના કોઈ પૈસા નથી. કારણ વગર બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

ધીરજ સાહુએ કહ્યું- આ પૈસા સાથે મારે કોઈ લેવાદેવા નથી. આ મારા પરિવારના પૈસા છે. અમારો પરિવાર ખુબ મોટો છે તો આ પૈસા તે લોકોના છે. હજુ આવકવેરા વિભાગ તરફથી એવું કહેવામાં આવ્યું નથી કે આ પૈસા ગેરકાયદેસર છે. તેવામાં તેના પર કંઈ કહેવું ઉતાવળ ગણાશે. 

उन्होंने कहा, "...आज जो हो रहा है वह मुझे दुखी करता है। मैं स्वीकार कर सकता हूं कि जो पैसा बरामद किया गया है वह मेरी फर्म का है... जो… pic.twitter.com/Q4yJO9nm8O

— ANI_HindiNews (@AHindinews) December 15, 2023

હકીકતમાં આઈટીએ ધીરજ સાહુના પરિવારની માલિકીવાળી ઓડિશાની દારૂ કંપની વિરુદ્ધ પોતાની કાર્યવાહી હેઠળ રાંચીમાં તેના આવાસમાં દરોડા પાડ્યા હતા. જે જગ્યા પર આઈટીએ રેડ કરી તે સાહુનું સંયુક્ત પારિવારિક આવાસ છે. તેમાં 350 કરોડથી વધુ રૂપિયા મળી આવ્યા છે. 

ધીરજ સાહુએ શું કહ્યું?
ધીરજ સાહૂએ કહ્યું- આજે જે થઈ રહ્યું છે તે મને દુખી કરે છે. હું સ્વીકાર કરુ છું કે જે પૈસા મળ્યા છે તે મારી ફર્મના છે. જે રોકડ જપ્ત થઈ છે તે મારી દારૂની ફર્મો સંબંધિત છે. પૈસા મારા નથી, આ મારા પરિવાર અને અન્ય સંબંધિત ફર્મોના છે. આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. હું દરેક વસ્તુનો જવાબ આપીશ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news