Covid-19: ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની પીક ક્યારે આવશે? કેટલી ખતરનાક હશે? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

ડોક્ટર ગિરીએ જણાવ્યું છે કે જેમ જેમ પોઝીટીવીટી રેટ વધશે તેમ કોરોના સંક્રમિત દર્દીઓના કેસ પણ વધશે. આવનારા સમયમાં આપણે આ પોઝીટીવીટી રેટથી પણ ડબલ પોઝીટીવ રેટ જોવો પડશે.

Covid-19: ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની પીક ક્યારે આવશે? કેટલી ખતરનાક હશે? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

નવી દિલ્હી: કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,64,202 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે. આ આંકડો ગઈકાલે એટલે કે ગુરુવારની સરખામણીએ 6.7 ટકા વધુ છે. ભારતમાં હવે કોરોના સંક્રમણ દર વધીને 14.78 ટકા થઈ ગયો છે. હાલમાં દેશમાં નવા વેરિઅન્ટ એટલે કે ઓમિક્રોનના 5,753 કેસ છે.

આવી સ્થિતિમાં દેશભરમાં કોરોનાના ત્રીજી લહેરના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ઘણા નાના અને મોટા શહેરોમાં પોઝિટિવિટી રેટ સતત વધી રહ્યો છે. દિલ્હીની GTB હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. સુભાષ ગિરી કહે છે કે પોઝિટિવિટી રેટ સાથે કોરોના સંક્રમિત દર્દીઓના કેસ પણ સતત વધશે. પોઝિટિવિટી રેટ પર ઘણા પરિબળો આધાર રાખે છે. પ્રથમ તો તમે કેટલા ટેસ્ટ કરાવ્યા છે, બીજું, તમારા પોઝિટિવ સેમ્પલના કેસ કેટલા ગંભીર છે તેમજ લોકોની કુશળતા કેવી છે.

ડોક્ટર ગિરીએ જણાવ્યું છે કે જેમ જેમ પોઝીટીવીટી રેટ વધશે તેમ કોરોના સંક્રમિત દર્દીઓના કેસ પણ વધશે. આવનારા સમયમાં આપણે આ પોઝીટીવીટી રેટથી પણ ડબલ પોઝીટીવ રેટ જોવો પડશે. તેમણે ઉમેર્યું કે જો ત્રીજી લહેરની વાત કરીએ તો જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં ત્રીજી લહેરની પીક આવી શકે છે અને માર્ચ મહિના સુધીમાં આ પીક પુરી થઈ જશે. પરંતુ આ પીકમાં ઘણા લોકો સંક્રમિત થશે.

જ્યારે, મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેક્ટર ડૉક્ટર વિવેક નાંગિયા જણાવે છે કે ત્રીજી લહેરની પીક પર જવું ખુબ જ ખતરનાક છે. ડોક્ટર નાંગિયા કહે છે કે છેલ્લા કેટલાક દિવસોની સરખામણીમાં હવે હોસ્પિટલમાં દાખલ થવાનું શરૂ થયું છે. આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે પોઝીટીવીટી સીટમાં વધારો થયો છે. હવે આ રોગ એવા લોકોને વધુ થાય છે જેમને કોમોર્બિડિટીની સમસ્યા છે. આવી સ્થિતિમાં આપણે બધા સાથે મળીને સાવચેતી રાખીએ અને બેદરકાર ન રહીએ તે જરૂરી છે. કારણ કે થોડી બેદરકારી પણ ઘાતક સાબિત થઈ શકે છે.

વેક્સીને લઈને બેદરકારી પડી શકે છે જીવલેણ
જે કોઈને હજી સુધી કોરોના સંક્રમણ લાગ્યું નથી અને જેમણે રસીનો એક પણ ડોઝ લીધો નથી અથવા ફક્ત એક જ ડોઝ લીધો છે, તો આ બેદરકારી તેમને ભારે પડી શકે છે. દેશમાં અને વિશ્વમાં કોરોનાની રસી અને મૃત્યુ અંગે ચાલી રહેલી વાતો સૂચવે છે કે કોરોનાનો નવા વેરિયન્ટ સામે ભલે રસી એટલી અસરકારક ન હોઈ શકે, પરંતુ જો તમને રસીના બંને ડોઝ લીધા હોય તો ગંભીર બિમારી માટે જ સુક્ષા કવચ આપતી નથી, પરંતુ મૃત્યુને પણ અટકાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news