Farmers Protest: સરકારે ખેડૂતોને સ્પષ્ટ કહ્યું રદ નહી થાય કૃષિ કાયદો, આ મુદ્દે લેખિત આશ્વાસન આપવા માટે તૈયાર

વિજ્ઞાન ભવનમાં 5મા તબક્કાની વાતચીત દરમિયાન ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકાર સાથે ગત બેઠક દરમિયાન થયેલી ચર્ચા પર મુદ્દાસર લેખિત જવાબ માંગ્યો છે. ખેડૂતોની આ વાત પર સરકારે સહમતિ આપી છે.

Farmers Protest: સરકારે ખેડૂતોને સ્પષ્ટ કહ્યું રદ નહી થાય કૃષિ કાયદો, આ મુદ્દે લેખિત આશ્વાસન આપવા માટે તૈયાર

નવી દિલ્હી: કૃષિ કાયદા (Farm laws)નો વિરોધ કરી રહેલા ખેડૂતો (Farmers Protest)અને સરકાર વચ્ચે 5મા તબક્કાની વાતચીત ચાલુ છે. બેઠક વિજ્ઞાન ભવન (Vigyan Bhavan)માં બપોરે 2 વાગે શરૂ થઇ છે. બેઠકમાં 40 ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ અને સરકારના મંત્રીઓ વચ્ચે ચર્ચા થઇ રહી છે. સૂત્રોના અનુસાર સરકાર કૃષિ કાયદા (Farm laws)ને રદ નહી કરે. MSP અને મંડી પર લેખિત આશ્વાસન આપવા માટે તૈયાર છે. 

ખેડૂતોને માંગ્યો લેખિત જવાબ
વિજ્ઞાન ભવનમાં 5મા તબક્કાની વાતચીત દરમિયાન ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકાર સાથે ગત બેઠક દરમિયાન થયેલી ચર્ચા પર મુદ્દાસર લેખિત જવાબ માંગ્યો છે. ખેડૂતોની આ વાત પર સરકારે સહમતિ આપી છે. ખેડૂત આંદોલનની સૌથી મોટી માંગ, ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP)અને મંડી પર કેન્દ્ર સરકાર ખેડૂતોને લેખિતમાં આશ્વાસન આપવા માટે તૈયાર છે. 

મંત્રીઓ અને અધિકારીઓની અલગથી ચર્ચા
બેઠક દરમિયાન ખેડૂત નેતાઓએ વારંવાર ફક્ત અને ફક્ત ત્રણેય કૃષિ કાયદા (Farm laws)ને રદ કરવાની વાત કરી. તેના પર કૃષિ સચિવ સંજય અગ્રવાલે કહ્યું આ ત્રણેય કાયદા તમારા હિતમાં છે. તેમાં ઘણી બધી વસ્તુઓ એવી છે જેનાથી ખેડૂતોને ફાયદો થશે. વચ્ચે જ કૃષિ સચિવને ટોકતાં ખેડૂતોએ કહ્યું કે ભાષણથી કોઇ મતલબ નથી. 

કૃષિ મંત્રીએ કહ્યું- દરેક મુદ્દા પર ચર્ચા માટે તૈયાર
ત્યારબાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરએ કહ્યું કે પહેલાં તમે એક મુદ્દો ઉઠાવ્યો, બીજો મુદ્દો ઉઠાવ્યો પછી ત્રણ-ચાર મુદ્દા ઉઠાવ્યા. તેના પર અમે ચર્ચા કરી રહ્યા છીએ. અમે સુધારા માટે તૈયાર છીએ પછી કાયદાને રદ કરવાની આ અલગથી માંગણી કેમ? સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે દરેક મુદ્દા પર ચર્ચા કરીશું. ત્યારબાદ ત્રણેય મંત્રીઓ અને અધિકારીઓ સાથે અલગથી ચર્ચા ચાલુ છે. 

પીએમના આવાસ પર બે કલાક બેઠક
કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ કિસાન દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે. તો આ મુદ્દા પર ગૃહમંત્રી અમિત શાહ પ્રધાનમંત્રી મોદીને મળવા પહોંચ્યા હતા. શનિવારે કિસાન સંગઠનો સાથે પાંચમાં રાઉન્ડની વાતચીત પહેલા મોટી મીટિંગ થી. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયુષ ગોયલ હાજર રહ્યા હતા. પીએમ મોદીની સાથે કિસાન આંદોલનને લઈને ગૃહમંત્રી અમિત શાહ, કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયુષ ગોયલ વચ્ચે યોજાયેલી બેઠક સમાપ્ત થઈ છે. આ બેઠક આશરે બે કલાક ચાલી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news