ગોવા CM મનોહર પર્રિકરના નિધન બાદ સમગ્ર દેશ શોક સંતપ્ત

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે. લાંબા સમયથી કેન્સર સામે લડી રહેલા પર્રિકરે આખરે હથિયાર હેઠા મુક્યા હતા.

ગોવા CM મનોહર પર્રિકરના નિધન બાદ સમગ્ર દેશ શોક સંતપ્ત

અમદાવાદ: ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે. લાંબા સમયથી કેન્સર સામે લડી રહેલા પર્રિકરે આખરે હથિયાર હેઠા મુક્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી તેમની સ્થિતી સતત કથળી રહી હતી. જેના પગલે તેમને ગોવા મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટર્સ દ્વારા તેમની સ્થિતીમાં સુધારો થાય તે માટે ભરપુર પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમનાં નિધનનાં સમાચાર સાંભળી સમગ્ર દેશ શોકમાં ડુબી ગયો છે. રાજનીતિ, સિનેમા, રમત અને કલા જગત સાથે જોડાયેલી અનેક હસ્તીઓ ઉંડો આઘાત અનુભવી રહી છે અને પર્રિકરને શોકાંજલી પાઠવી રહી છે. 

રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યો શોક
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું 63 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ ગત્ત લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. તેમનાં નિધન અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો હતો. 

Respected and admired across party lines, he was one of Goa’s favourite sons.

My condolences to his family in this time of grief.

— Rahul Gandhi (@RahulGandhi) March 17, 2019

સહેવાગે પણ વ્યક્ત કર્યો શોક
ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે પણ પર્રિકરનાં નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. 

— Virender Sehwag (@virendersehwag) March 17, 2019

ભારત અને ગોવાએ એક સપુત ગુમાવ્યો
કેન્દ્રીય મંત્રી વીકે સિંહે પણ મનોહર પર્રિકરનાં નિધન અંગે ઉંડો શોક વ્યક્ત કર્યો હતો. એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, નિધનથી જે ખાલી જગ્યા પડી છે તે ક્યારે પણ ભરી શકાય તેમ નથી. વીકે સિંહે કહ્યું કે, એક એવા નેતાનું મોત નિપજ્યું છે જે આકરામાં આકરી સમસ્યાઓને પ્રેક્ટિકલી ઉકેલ લાવતા હતા. ગોવા અને ભારતે આજે એક મહાન સપુત ગુમાવ્યો છે

— Vijay Kumar Singh (@Gen_VKSingh) March 17, 2019

ઉમર અબ્દુલ્લાએ પર્રિકરનાં નિધન અંગે શોક વ્યક્ત કર્યો
જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પર્રિકરનાં નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. 
 

— Omar Abdullah (@OmarAbdullah) March 17, 2019

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news