CORONAVIRUS એ ફરી વધાર્યું ટેન્શન, આ રાજ્યમાં દરરોજ આવી રહ્યા છે 30,000 નવા કેસ, એક્ટિવ કેસ 2 લાખની નજીક

ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરના (Coronavirus 3rd Wave) ભય વચ્ચે ફરી એકવાર નવા કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે અને સંક્રમણ સતત વધી રહ્યુ છે. દરમિયાન, કેરળમાં સામે આવતા કોવિડ-19 ના નવા કેસ ટેન્શનમાં વધારો કરી રહ્યા છે

CORONAVIRUS એ ફરી વધાર્યું ટેન્શન, આ રાજ્યમાં દરરોજ આવી રહ્યા છે 30,000 નવા કેસ, એક્ટિવ કેસ 2 લાખની નજીક

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરના (Coronavirus 3rd Wave) ભય વચ્ચે ફરી એકવાર નવા કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે અને સંક્રમણ સતત વધી રહ્યુ છે. દરમિયાન, કેરળમાં સામે આવતા કોવિડ-19 ના નવા કેસ ટેન્શનમાં વધારો કરી રહ્યા છે, કારણ કે છેલ્લા 2 દિવસથી સતત 30 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે અને રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ (Coronavirus Active Case in Kerala) વધીને 2 લાખની નજીક પહોંચી ગયા છે. .

દેશભરમાં 24 કલાકમાં સામે આવ્યા 44,658 નવા કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 44,658 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 496 લોકોના મોત થયા છે. ત્યારબાદ દેશમાં 3 કરોડ 26 લાખ 3 હજાર 188 લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે અને 4 લાખ 36 હજાર 861 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અગાઉ ગુરુવારે (26 ઓગસ્ટ) દેશભરમાં કોવિડ-19 ના 46,164 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 32,988 લોકો સાજા પણ થયા છે, જે બાદ સાજા થયેલા લોકોની સંખ્યા 3 કરોડ 18 લાખ 21 હજાર 428 થઈ ગઈ છે અને 3 લાખ 44 હજાર 899 એક્ટિવ કેસ છે.

કેરળમાં આવ્યા છે દેશભરના 67 ટકા કેસ
કેરળમાં સંક્રમણની વધતી ગતિએ કોરોના વાયરસની (Coronavirus) ત્રીજી લહેરની આશંકા વધી છે અને મહત્તમ કેસો નોંધાયા છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે (26 ઓગસ્ટ) સાંજે જાહેર કરેલા આંકડા મુજબ, રાજ્યમાં 24 કલાકમાં 30,007 નવા કેસ નોંધાયા છે, જે કુલ કેસોના લગભગ 67 ટકા છે. અગાઉ બુધવારે રાજ્યમાં 31,445 કેસ નોંધાયા હતા, જ્યારે મંગળવારે 24,296 કોરોના પોઝિટિવ કેસ મળ્યા હતા.

કેરળમાં એક્ટિવ કેસ 2 લાખની નજીક
સ્વાસ્થ્ય વિભાગના ડેટા અનુસાર, કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનામાંથી 18,997 લોકો સાજા થયા છે, તેમજ છેલ્લા એક દિવસમાં મહામારીને કારણે 162 લોકોના મોત થયા છે. હાલમાં કેરળમાં સક્રિય કેસોની સંખ્યા 1 લાખ 81 હજાર 209 છે. કેરળમાં કોવિડ-19 ને કારણે અત્યાર સુધીમાં 20,134 લોકોએ જીવ ગુમાવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news