કર્ણાટક: ભાજપે સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો, યેદિયુરપ્પા આજે લેશે CM પદના શપથ

કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડ્યા બાદ ત્રણ દિવસ પછી આજે ભાજપ રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહ્યો છે. કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પા આજે સવારે રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા માટે પહોંચ્યા અને ભાજપ તરફથી સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો. તેમણે રાજ્યપાલને આજે જ શપથગ્રહણ સમારોહના આયોજનનો આગ્રહ કર્યો. જેને રાજ્યપાલે મંજૂરી પણ આપી દીધી. 

કર્ણાટક: ભાજપે સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો, યેદિયુરપ્પા આજે લેશે CM પદના શપથ

નવી દિલ્હી: કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડ્યા બાદ ત્રણ દિવસ પછી આજે ભાજપ રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહ્યો છે. કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પા આજે સવારે રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા માટે પહોંચ્યા અને ભાજપ તરફથી સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો. તેમણે રાજ્યપાલને આજે જ શપથગ્રહણ સમારોહના આયોજનનો આગ્રહ કર્યો. જેને રાજ્યપાલે મંજૂરી પણ આપી દીધી. સાંજે 6 વાગે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સાથે તેમના માથે બહુમત પરીક્ષણ કરવાની અગ્નિ પરિક્ષા પાસ કરવાની જવાબદારી છે. યેદિયુરપ્પાએ 31મી જુલાઈ પહેલા બહુમત સાબિત કરવો પડશે. 

મુલાકાત બાદ યેદિયુરપ્પાએ કહ્યું કે મેં રાજ્યપાલ સાથે હમણા વાત કરી. આજે સાંજે 6 વાગે હું મુખ્યમંત્રી પદના શપથ લઈશ. જો કે સરકાર બન્યા બાદ ભાજપ સામે અસલ પરીક્ષા બહુમત પરીક્ષણની રહેશે. કારણ કે હાલના વિધાનસભા અધ્યક્ષ રમેશકુમારે ગુરુવારે કોંગ્રેસના 3 બળવાખોર ધારાસભ્યોને પક્ષ પલટા કાયદા હેઠળ અયોગ્ય ઠેરવ્યા છે. હજુ 14 બળવાખોર ધારાસભ્યોના રાજીનામા બાકી છે. આવામાં સદનના ધારાસભ્યોની સંખ્યા 222 છે અને બહુમત માટે ભાજપે 112ના આંકડો મેળવવો પડશે. હાલના સમયમાં ભાજપ પાસે 106 ધારાસભ્યોનું સમર્થન છે. 6 ધારાસભ્યો ખુટે છે જેના પર સરકાર બન્યા બાદ બધાની નજર રહેશે. 

સ્પીકર રમેશકુમારે ગુરુવારે નિર્ણય લીધો કે 3 ધારાસભ્યોના રાજીનામા સ્વૈચ્છિક અને સ્વાભાવિક નથી આથી તેમને 2023માં હાલની વિધાનસભાનો કાર્યકાળ ખતમ થવા સુધી તત્કાળ પ્રભાવથી પક્ષપલટા કાયદા હેઠળ અયોગ્ય જાહેર કરવામાં આવે છે. પોતાનો નિર્ણય સંભળાવતા અધ્યક્ષે કહ્યું કે તેઓ આગામી દિવસોમાં બાકીના 14 સભ્યો પર નિર્ણય લેશે. 

જુઓ LIVE TV

શક્તિ પરીક્ષણમાં 6 મતોથી હાર્યા હતાં કુમારસ્વામી
23 જુલાઈના રોજ વિધાનસભામાં થયેલા બહુમત પરીક્ષણમાં કુમારસ્વામીની સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી. કુમારસ્વામીએ રજુ  કરેલા પ્રસ્તાવના પક્ષમાં 99 અને વિરોધમાં 105 મતો પડ્યા હતાં. 

બળવાખોર ધારાસભ્યોએ કહ્યું કે નિર્ણયથી પીછેહટ નહીં
કોંગ્રેસ અને જેડીએસના અયોગ્યતાની માગણીવાળી અરજીઓ તથા ધારાસભ્યોના રાજીનામા પર કુારના નિર્ણયને અન્ય બળવાખોર ધારાસભ્યોને કડક સંદેશા તરીકે જોવામાં આવી રહ્યા છે. અન્ય બળવાખોર ધારાસભ્યો હજુ પણ મુંબઈમાં છે અને તેમનું કહેવું છે કે તેઓ વિધાનસભા સદસ્યતા છોડવાના પોતાના નિર્ણયથી પીછેહટ નહીં કરે. કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો રમેશ જારકીહોલી, મહેશ કુમાતલ્લી અને શંકરે સ્પીકરના કડક નિર્ણયનો સામનો કરવો પડ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news