કર્ણાટકમાં પક્ષો કેવી રીતે રમી રહ્યાં છે જાતિવાદી ખેલ, જ્ઞાતિના રાજકારણનું સંપૂર્ણ ગણિત સમજો

Karnataka Election Voting Game: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં વોટિંગ ગેમને લઈને પાર્ટીઓ ખૂબ જ ગંભીર છે. તેની પાછળનું કારણ કર્ણાટકમાં જાતિ સમુદાયોની હાજરી છે.
 

કર્ણાટકમાં પક્ષો કેવી રીતે રમી રહ્યાં છે જાતિવાદી ખેલ, જ્ઞાતિના રાજકારણનું સંપૂર્ણ ગણિત સમજો

Karnataka Election 2023: કર્ણાટક વિધાનસભા માટે મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. કર્ણાટકમાં કોની સરકાર બનશે તે 10 મેના મતદાન બાદ 13 મેના રોજ નક્કી થશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જે પક્ષ જાતિ અને સમુદાયના સમીકરણને ફિટ કરવામાં સફળ થશે તે જ જીતશે.  કોંગ્રેસના બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાના વચનને મુદ્દો બનાવીને ભાજપે બજરંગ બલિની રમત રમી છે તો બીજી તરફ કોંગ્રેસે રાજ્યમાં સરકારને 40 ટકા કમિશન અને મુસ્લિમ અનામતમાં ઘટાડાનો મુદ્દો બનાવ્યો છે. આ સાથે જેડીએસ પોતાને પહેલાની જેમ કિંગમેકર તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહી છે. જેનો અર્થ છે કે તેમના વિના રાજ્યમાં સરકાર બનાવવી કોઈપણ રાજકીય પક્ષ માટે આસાન નથી. એકંદરે એમ કહી શકાય કે કર્ણાટકની ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણ કેન્દ્રબિંદુ બનવા જઈ રહ્યું છે.

લિંગાયત
લિંગાય સમુદાય, જેને શિવના ઉપાસક કહેવામાં આવે છે. લિંગાય સમુદાયનો જન્મ 12મી સદીમાં ફિલસૂફ બસવન્નાના સુધારા ચળવળમાંથી થયો હતો. લિંગાયતો કર્ણાટકમાં સૌથી મોટા અન્ય પછાત વર્ગો (OBC) સમુદાયોમાંનો એક છે. જેનો રાજ્યમાં વોટ શેર 17% છે. ખેતી અને ધંધો તેમનો પરંપરાગત વ્યવસાય છે. લિંગાયતોએ પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને જોરદાર સમર્થન આપ્યું હતું. દક્ષિણમાં ભાજપની પ્રથમ સરકાર લાવવાનો શ્રેય એમને જાય છે. જોકે યેદિયુરપ્પાએ હવે ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. જે પછી બસવરાજ બોમ્માઈ તેમના લિંગાયત સાથી તરીકે કર્ણાટક બીજેપીન બાગડોર સંભાળી છે.

બોમાઈ સરકારે મુસ્લિમો માટે 4% ઓબીસી અનામત પાછી ખેંચી લીધા પછી, લિંગાયતો અને વોક્કાલિગા માટે 2% અનામત વધારી હતી. તેથી ભાજપ મતોની દ્રષ્ટિએ તેનો ફાયદો ઉઠાવવાની આશા રાખી રહ્યું છે. 2018ના પ્રચારમાં ભાજપે કોંગ્રેસ પર મોટું નિશાન સાધ્યું છે. જ્યારે કોંગ્રેસે લિંગાયતો માટે અલગ ધર્મનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે બાદ ભાજપે કોંગ્રેસને લિંગાયત વિરોધી પાર્ટી તરીકે દર્શાવી હતી. પરંતુ 2023માં, ભૂતપૂર્વ CM જગદીશ શેટ્ટર સહિત ભાજપના કેટલાક અગ્રણી લિંગાયત ચહેરાઓ કોંગ્રેસમાં ગયા છે. જે બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે શેટ્ટાર ભાજપના લિંગાયત મતોમાં ખાડો પાડી શકે છે. 2018ની સરખામણીમાં આ વખતે ભાજપ પાસે 68 લિંગાયત ઉમેદવારો છે. બીજી તરફ કોંગ્રેસે પણ આ વાતને સારી રીતે સમજીને પોતાના લિંગાયત ઉમેદવારોની સંખ્યા 43થી વધારીને 51 કરી દીધી છે.

મુસ્લિમ
કર્ણાટકની ભાજપ સરકારે માર્ચમાં રાજ્યમાં 4% મુસ્લિમ ક્વોટા સમાપ્ત કર્યો હતો. જે બાદ આ ક્વોટાને લિંગાયત અને વોક્કાલિગા વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવ્યો હતો. જે પછી મુસ્લિમોએ હવે આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે 10% અનામત માટે બ્રાહ્મણો સાથે સ્પર્ધા કરવી પડશે. ભાજપને આશા છે કે આ પગલાથી લિંગાયતો અને વોક્કાલિગાનું સમર્થન મળશે. જ્યારે કોંગ્રેસ મુસ્લિમોના સમર્થનની આશા રાખી રહી છે. જેને જોતા કોંગ્રેસે જાહેરાત કરી છે કે જો તે સત્તામાં આવશે તો લઘુમતી મુસ્લિમોનો ક્વોટા પુનઃસ્થાપિત કરશે.

કુરુબા
OBC સમુદાય તરીકે કુરુબા કર્ણાટક રાજ્યમાં ચોથો સૌથી મોટો જાતિ સમૂહ છે. જે રાજ્યની વસ્તીના લગભગ 8-9% છે અને આ સમુદાય મોટાભાગના મતવિસ્તારોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કુરુબાઓ તેમના અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. વાસ્તવમાં તે વર્ષ 1977માં નાબૂદ કરવામાં આવ્યો હતો. જો કે, કેન્દ્રએ આ સંદર્ભે રાજ્યના પ્રયાસોને બે વખત ફગાવી દીધા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયાને કુરુબા સમુદાયના નિર્વિવાદ નેતા માનવામાં આવે છે. ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ કેએસ ઇશ્વરપ્પા ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્ત થયા ત્યાં સુધી ભાજપનો કુરુબા ચહેરો હતો.

SC, ST
કર્ણાટક ચૂંટણીમાં તમામ પક્ષો એસસી અને એસટી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે કર્ણાટકની વસ્તીના 24% છે અને લગભગ 100 સીટો પર પરિણામને અસર કરી શકે છે. 224 બેઠકોની વિધાનસભામાં, 36 SC અને 15 ST માટે અનામત છે. જો કે, જે રીતે તેઓને 'જમણે', 'ડાબે', 'છૂત', વગેરેમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તેના કારણે આ લોકોનો વોટ કોઈ એક પક્ષને જતો નથી. ઉદાહરણ તરીકે, અનુસૂચિત જાતિ (જમણે) પરંપરાગત રીતે કોંગ્રેસને મત આપે છે. પરંતુ અનુસૂચિત જાતિ (ડાબેરી) ભાજપને સમર્થન આપે છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સરકારે અનુસૂચિત જાતિ માટેનો ક્વોટા 15% થી વધારીને 17% અને અનુસૂચિત જનજાતિ માટે 3% થી વધારીને 7% કર્યો. અનુસૂચિત જાતિ (ડાબેરી) સમુદાયોની માંગને ધ્યાનમાં રાખીન, પાર્ટીએ 101 અનુસૂચિત જાતિ પેટા સમુદાયો માટે આંતરિક અનામતનો પ્રસ્તાવ પણ મૂક્યો. જો કે, આ પગલાંથી કેટલીક પેટા જાતિઓ દ્વારા નારાજગી દર્શાવવામાં આવી હતી જેઓ ભાજપના કટ્ટર સમર્થકો છે. તેમને આકર્ષવા માટે ભાજપે SC માટે અનામત 36 બેઠકો પર આ જાતિઓમાંથી સૌથી વધુ ઉમેદવારો ઉભા રાખ્યા છે.

વોક્કાલિગા
વોક્કાલિગા કર્ણાટકમાં 15% મતો સાથે લિંગાયતો પછી બીજા નંબરનો સૌથી મોટો OBC સમુદાય છે. મોટાભાગે ખેડૂત સમુદાય, જેડી(એસ), ભૂતપૂર્વ પીએમ એચડી દેવગૌડાનો પક્ષ, કર્ણાટકના રાજકારણમાં સુસંગત રહ્યો છે. બહુવિધ વિભાજન પછી પણ જેડી(એસ) જૂના મૈસુર પ્રદેશમાં તેની મોટાભાગની બેઠકો જીતે છે. વોક્કાલિગા મતોની લડાઈ મુખ્યત્વે જેડી(એસ) અને કોંગ્રેસ વચ્ચે છે. જો કે ભાજપ પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. 2018માં 34 બેઠકો પર ટિકિટ આપનાર ભાજપે આ વખતે 47 વોક્કાલિગાઓને ટિકિટ આપી છે. વોક્કાલિગા વોટ માટે કોંગ્રેસ કર્ણાટક પ્રમુખ ડીકે શિવકુમાર પર નિર્ભર છે. આ વખતે વોક્કાલિગાના 43 ઉમેદવારો છે. જ્યારે 2018માં 41 ઉમેદવારો હતા. વોક્કાલિગા પાર્ટી ગણાતી JD(S) પાસે 2018માં સમુદાયના 24 ધારાસભ્યો હતા. આ વખતે જેડીએસે વોક્કાલિગાના 45 ઉમેદવારોને ટિકિટ આપી છે. ભૂતકાળની ચૂંટણીઓના ડેટા દર્શાવે છે કે JD(S) અને કોંગ્રેસે ઐતિહાસિક રીતે વોક્કાલિગા મતોની બહુમતી મેળવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news