બુધવારે થશે મોદી કેબિનેટની બેઠક, કેન્દ્રીય કર્મચારીઓના DA પર લેવાય શકે છે મોટો નિર્ણય

તમને જણાવી દઈએ કે કેબિનેટની આ બેઠક એવા સમયે યોજાવા જઈ રહી છે, જ્યારે કેબિનેટ વિસ્તારને લઈને અટકળોનું બજાર ગરમ છે.

બુધવારે થશે મોદી કેબિનેટની બેઠક, કેન્દ્રીય કર્મચારીઓના DA પર લેવાય શકે છે મોટો નિર્ણય

નવી દિલ્હીઃ પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ઘણા એજન્ડા પર મહોર લાગી શકે છે. આ બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએને લઈને પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. આ વાતની સંભાવના પ્રબળ છે કે આ પ્રસ્તાવને મંજૂર પણ કરી લેવામાં આવશે. 

તમને જણાવી દઈએ કે કેબિનેટની આ બેઠક એવા સમયે યોજાવા જઈ રહી છે, જ્યારે કેબિનેટ વિસ્તારને લઈને અટકળોનું બજાર ગરમ છે. પરંતુ અત્યાર સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી કે કેબિનેટ વિસ્તાર કઈ તારીખે થશે. તેનું સ્વરૂપ શું હશે. 

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સાતમાં પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થાની બાકી ચુકવણી પર નિર્ણય લેવાની આશા છે. જો સરકાર ચુકવણીનો નિર્ણય લે છે તો તેનાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તાની ચુકવણી બાકી છે. આ પહેલા જેસીએમની બેઠકમાં સપ્ટેમ્બર સુધી બધા હપ્તાની ચુકવણી કરવાનો નિર્ણય લીધો હતો, જેને હજુ સુધી કેબિનેટની બેઠક મંજૂરી મળી નથી.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news