ઓમિક્રોનના સબ-વેરિએન્ટ BA.2 એ વધાર્યું ટેન્શન, લોકોને ઝડપથી ચપેટમાં લઇ રહ્યો છે

કોરોનાવાયરસ (Coronavirus) ના ઓમિક્રોન (Omicron) વેરિઅન્ટનું સબ-વેરિઅન્ટ BA.2 મૂળ વેરિઅન્ટ BA.1 કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે, પરંતુ રસી તેની સામે રક્ષણ આપવામાં અસરકારક જણાય છે. સબ-વેરિઅન્ટ BA.2 ને હાલમાં યુકેમાં તપાસ હેઠળ વેરિએન્ટની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે.

ઓમિક્રોનના સબ-વેરિએન્ટ BA.2 એ વધાર્યું ટેન્શન, લોકોને ઝડપથી ચપેટમાં લઇ રહ્યો છે

લંડન: કોરોનાવાયરસ (Coronavirus) ના ઓમિક્રોન (Omicron) વેરિઅન્ટનું સબ-વેરિઅન્ટ BA.2 મૂળ વેરિઅન્ટ BA.1 કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે, પરંતુ રસી તેની સામે રક્ષણ આપવામાં અસરકારક જણાય છે. સબ-વેરિઅન્ટ BA.2 ને હાલમાં યુકેમાં તપાસ હેઠળ વેરિએન્ટની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે.

જીનોમ સિક્વન્સિંગમાં થઇ આટલા કેસોની ઓળખ
યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA) એ જણાવ્યું છે કે BA.2 નો સંક્રમણ દર ઇગ્લેંડના તે તમામ વિસ્તારોમાં BA.1 ની તુલનામાં વધ્યો છે. જ્યાં આંકલન કરવા માટે પર્યાપ્ત કેસ છે. તો બીજી તરફ 24 જાન્યુઆરી સુધી જીનોમ સિક્વન્સિંગમાં ઈંગ્લેન્ડમાં BA.2 ના 1,072 કેસોની ઓળખ કરવામાં આવી છે. આ અંગેના તમામ મૂલ્યાંકનો પ્રારંભિક છે, જ્યારે કેસની સંખ્યા તુલનાત્મક રીતે ઓછી છે.

રિસર્ચમાં સામે આવી આ વાત
UKHSA અનુસાર, 'નવા પ્રકારોના શરૂઆતી વિશ્લેષણમાં સંક્રમણનો દર ઓછો કરવા ઓછો આંકવામાં આવ્યો હશે, પરંતુ હાલમાં તે પ્રમાણમાં ઓછો છે.'

BA.2 ના સંક્રમણ દરમાં વધારો થવાની સંભાવના
નિષ્ણાતોએ કહ્યું કે સંપર્કમાં રહેલા લોકોના ડેટાનું વિશ્લેષણ સૂચવે છે કે 27 ડિસેમ્બર, 2021 અને 11 જાન્યુઆરી, 2022 વચ્ચે ઓમિક્રોનનો સંક્રમણ દર 10.3 ટકાની તુલનામાં BA.2 નો સંક્રમણ દર 13.4 ટકા રહેવાની સંભાવના છે.

પ્રારંભિક વિશ્લેષણ BA ની તુલનામાં BA.2 માટે રોગ સામે રસીની અસરકારકતામાં તફાવતના સંકેત મળ્યા નથી. બે ડોઝના કિસ્સામાં, 25 અઠવાડિયાથી વધુ સમય પછી, રસીની અસરકારકતા BA.1 માટે નવ ટકા અને BA.2 માટે 13 ટકા હતી. ત્રીજી રસી પછી, આ અસરકારકતા બે અઠવાડિયામાં વધીને BA.1 માટે 63 ટકા અને BA.2 માટે 70 ટકા થઈ ગઈ.

UKHSAના ચીફ મેડિકલ એડવાઈઝર ડૉ. સુસાન હોપકિન્સે કહ્યું, 'અમે હવે જાણીએ છીએ કે BA.2 ના સંક્રમણ દરમાં વધારો થયો છે જે ઈંગ્લેન્ડના તમામ વિસ્તારોમાં જોઈ શકાય છે. અમે એ પણ શીખ્યા છીએ કે BA.2 નો સંક્રમણ દર BA.1 કરતા વધારે છે.

તેમણે કહ્યું, 'હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુના ઓછા કેસ છે. જો કે કેટલાક પ્રદેશો અને અમુક વય જૂથોમાં હજુ પણ કેસ વધુ છે, એટલા માટે મહત્વનું છે કે આપણે સાવધાનીથી કામ કરવાનું ચાલુ રાખીએ કારણ કે પ્રતિબંધ દૂર કરવામાં આવ્યા છે. 

(ઇનપુટ ભાષા) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news