પીએમ મોદી અને અમિત શાહના ગણિતો અહીં જાય છે ફેલ, સમ ખાવા પૂરતી પણ એક સીટ નહીં મળે

NDA vs India: લોકસભા પહેલાંના સરવેમાં અહીં જગન મોહનની પાર્ટી YSRCP ક્લિનસ્વીપ કરી રહી છે એટલે 25માંથી 25 બેઠકો જીતી રહી છે. ગત લોકસભામાં એમનો દબદબો રહ્યો હતો. 

પીએમ મોદી અને અમિત શાહના ગણિતો અહીં જાય છે ફેલ, સમ ખાવા પૂરતી પણ એક સીટ નહીં મળે

Latest opinion poll 2024: લોકસભાની ચૂંટણીને હવે થોડો સમય જ બાકી રહ્યો છે. તમામ પાર્ટીઓ લોકસભાની જીત માટે પોતાના સોગઠાં ગોઠવી રહી છે પણ તમે જાણો છો દેશનું એક એવું રાજ્ય છે જ્યાં ETG રિસર્ચ સાથે ટાઈમ્સ નાઉ નવભારતના સર્વેમાં ભાજપ અને કોંગ્રેસને 0 બેઠક મળી રહી છે. અહીં પીએમ મોદી હોય કે અમિત શાહ કે રાહુલ કોઈનો ગજ વાગતો નથી. વાત કરી રહ્યાં છે આપણે આંધ્રપ્રદેશની. દક્ષિણ ભારતના આ રાજ્યમાં જગન મોહન રેડ્ડીની સરકાર છે. લોકસભા પહેલાંના સરવેમાં અહીં જગન મોહનની પાર્ટી YSRCP ક્લિનસ્વીપ કરી રહી છે એટલે 25માંથી 25 બેઠકો જીતી રહી છે. ગત લોકસભામાં એમનો દબદબો રહ્યો હતો. 

કોણ છે જગનમોહન રેડ્ડી
યેદુગુડી સૈંડિન્તિ જગન મોહન રેડ્ડી એક ભારતીય રાજનેતા છે. તેઓ આંધ્રપ્રદેશ અને વાઈએસઆર કોંગ્રેસ પાર્ટી અને આંધ્ર પ્રદેશ વિધાનસભાના નેતા છે. તેઓ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાઈએસ રાજશેખર રેડ્ડીના પુત્ર છે. જગન મોહન રેડ્ડી 21 ડિસેમ્બર 1972ના રોજ આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લાના પુલિવેન્દુલા ગામમાં જન્મયા હતા. તેમણે હૈદરાબાદ પલ્બિક સ્કૂલમાં પોતાનું સ્કૂલ શિક્ષણ લીધું છે અને નિજામ કૉલેજથી સ્નાતકની ડીગ્રી મેળવી છે. પિતાના મોત બાદ તેઓ રાજકારણમાં આવ્યા હતા. 

રેડ્ડીના પિતા વાય.એસ.રાજશેખર રેડ્ડી, જેઓ વાયએસઆર તરીકે જાણીતા છે, તેઓ 2004 થી 2009 દરમિયાન આંધ્ર પ્રદેશના બે વખતના મુખ્ય પ્રધાન હતા. તેમણે કડપા જિલ્લામાં 2004ની ચૂંટણી દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે પ્રચાર કરીને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 2009માં તેઓ કડપા લોકસભા મતવિસ્તારમાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. સપ્ટેમ્બર 2009 માં તેમના પિતાના અવસાન પછી, તેમણે તેમના પિતા દ્વારા છોડવામાં આવેલો રાજકીય વારસો લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. મોટાભાગના ધારાસભ્યોએ તેમને મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવાની તરફેણ કરી હતી, પરંતુ આ પસંદગીને પક્ષના નેતાઓ સોનિયા અને રાહુલ ગાંધીએ મંજૂરી આપી ન હતી.

તેમના પિતાના મૃત્યુના છ મહિના પછી, તેમણે અગાઉ વચન આપ્યા મુજબ, તેમના પિતાના મૃત્યુના સમાચાર પર આત્મહત્યા કરી હોય અથવા નાદુરસ્ત તબિયતનો ભોગ બન્યા હોય તેવા કથિત લોકોના પરિવારોને જવા અને મળવા માટે તેમણે ઓદર્પુ યાત્રા (શોક યાત્રા) શરૂ કરી. કોંગ્રેસ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ તેમને તેમની ઓદર્પુ યાત્રાને પાછી ખેંચવાનો નિર્દેશ આપ્યો હતો, જે આદેશનો તેમણે અવગણના કર્યો હતો અને હાઈકમાન્ડ અને પોતાની વચ્ચે તિરાડ પડી હતી. 

એપ્રિલ અને મે 2019માં યોજાયેલી 2019ની રાષ્ટ્રીય અને રાજ્ય ચૂંટણીમાં YSR કોંગ્રેસ પાર્ટીએ આંધ્ર પ્રદેશની કુલ 175 વિધાનસભા બેઠકોમાંથી 151 અને લોકસભાની 25 બેઠકોમાંથી 22 બેઠકો જીતી હતી.

ETG રિસર્ચ સાથે ટાઈમ્સ નાઉ નવભારતના સર્વેમાં એનડીએ સત્તામાં વાપસી કરતું જણાય છે. આ સર્વેમાં લોકસભા ચૂંટણીમાં NDAના ખાતામાં 300થી વધુ સીટો જોવા મળી રહી છે, જ્યારે વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aને 160 થી 190 સીટો મળી શકે છે. આ બંને ગઠબંધન બાદ આ સર્વેમાં જગન મોહનની પાર્ટી YSRCPને સૌથી વધુ સીટો મળતી જોવા મળી રહી છે. જે બાદ આ સર્વેમાં ત્રીજા સ્થાને બિજુ જનતા દળ અને KCRની પાર્ટી BRSને વધુ સીટો મળતી દેખાઈ રહી છે.

કોના કોના ફાળે જશે કેટલી બેઠકો
એનડીએ             296 - 326
I.N.D.I.A         160 થી 190
YSRCP જગન મોહનની પાર્ટી     24-25
BRS કેસીઆરનો પક્ષ         9-11
બીજુ જનતા દળ         12-14
અન્ય             11-14

આ સર્વેમાં જગન મોહનની પાર્ટી આંધ્રપ્રદેશમાં ક્લીન સ્વીપ કરતી જોવા મળી રહી છે. જો આજે લોકસભાની ચૂંટણી યોજાય તો YSRCP જગન મોહનની પાર્ટી રાજ્યમાં 24-25 બેઠકો જીતી શકે છે. આ રાજ્યમાં લોકસભાની 25 બેઠકો છે અને એક રીતે તે ક્લીન સ્વીપ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં જગન મોહનની પાર્ટીએ આંધ્ર પ્રદેશમાં 25માંથી 22 બેઠકો જીતી હતી. આ વખતે પણ વધુ બેઠકો પાર્ટીના ખાતામાં જાય તેમ લાગી રહ્યું છે. તેવી જ રીતે, 17 લોકસભા બેઠકો ધરાવતા તેલંગાણામાં, KCRની પાર્ટી BRSને 9-11 બેઠકો મળવાની ધારણા છે. તો 21 બેઠકો સાથે ઓડિશામાં નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળ 12-14 બેઠકો જીતી શકે છે.

લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન I.N.D.I.A માને છે કે જો તેઓ સાથે મળીને લડશે તો તેઓ ભાજપને હરાવી શકશે. ભાજપે અનેક નાના પક્ષોને પણ NDAમાં સામેલ કર્યા છે. હવે આવી સ્થિતિમાં સર્વેના પરિણામોમાં સામે આવ્યું છે કે આ પક્ષોને કોઈના સમર્થનની જરૂર નથી. આ પક્ષોની તેમના પોતાના રાજ્યોમાં પણ સરકારો છે અને અન્ય કોઈ પક્ષ તેમને પડકારી શકે તેમ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news