આંધ્ર પ્રદેશના ગુંટુરમાં આજે રેલી કરશે PM મોદી, વિરોધમાં ઉતર્યા ચંદ્રબાબૂ નાયડૂ

સત્તાધારી ટીડીપી દ્વારા ભાજપની સાથે ગઠબંધન તોડ્યા બાદ પ્રધાનમંત્રીની રાજ્યની આ પહેલી યાત્રા છે. ત્યારે મુખ્યમંત્રી એન ચંદ્રબાબૂ નાયડૂએ તેમની પાર્ટી કાર્યકર્તાઓથી રવિવારે સંપૂર્ણ રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવાનું કહ્યું છે.

આંધ્ર પ્રદેશના ગુંટુરમાં આજે રેલી કરશે PM મોદી, વિરોધમાં ઉતર્યા ચંદ્રબાબૂ નાયડૂ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (10 જાન્યુઆરી) આંધ્ર પ્રદેશના પ્રવાસ પર રહેશે. પીએમ મોદી રવિવારના ગુંટુરમાં રેલી કરશે. સત્તાધારી ટીડીપી દ્વારા ભાજપની સાથે ગઠબંધન તોડ્યા બાદ પ્રધાનમંત્રીની રાજ્યની આ પહેલી યાત્રા છે. ત્યારે મુખ્યમંત્રી એન ચંદ્રબાબૂ નાયડૂએ તેમની પાર્ટી કાર્યકર્તાઓથી રવિવારે સંપૂર્ણ રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવાનું કહ્યું છે.

ભાજપની એક સભાને સંબોધિત કરવા ઉપરાંત પ્રધાનમંત્રી મોદી પેટ્રોલિયમ અને ગેસથી જોડાયેલી 6,825 કરોડ રૂપિયાની બે યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. ભાજપ સાંસદ જીવી એલ નરસિમ્હા રાવે જણાવ્યું કે પ્રધાનમંત્રી રિમોટ કંટ્રોલ દ્વારા નેલ્લોર જિલ્લામાં ભારત પેટ્રોલિયમ કોરપોરેશન લિમિટેડના એક કોસ્ટલ ટર્મિનલનો પાયો પણ રાખવામાં આવશે.

પ્રદર્શન એ રીતે કરવામાં આવશે કે સમગ્ર દેશનું તેના પર આકર્ષિત થાય
નાયડૂએ ટેલીકોન્ફ્રેંસ કોલ દરમિયાન કાર્યકર્તાઓ અને પાર્ટી સભ્યોથી કહ્યું કે રાજ્યની સાથે કેન્દ્રએ ‘વિશ્વાસઘાત’ની સામે વિરોધ પ્રદર્શન તે રીતે કરવામાં આવે કે સમગ્ર દેશનું ધ્યાન તેના પર આકર્ષિત થાય.

સોમવારે દિલ્હીમાં પ્રદર્શન કરશે નાયડૂ
ટીડીપી પ્રમુખ સોમવારે દિલ્હીમાં દિવસભર વિરોધ પ્રદર્શન આયોજીત કરશે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી દ્વારા દેખાડવામાં આવેલી રીતથી વિરોધ પ્રદર્શન આયોજીત કરવામાં આવશે.

નાયડૂએ આરોપ લગાવ્યો છે કે મોદી 2014માં રાજ્યના વિભાજન બાદથી બર્બાદી દેખવા માટે રાજ્ય આવી રહ્યા છે. આ પહેલા નાયડૂએ પીએમ મોદીના પ્રવાસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, શું તેઓ અહીંયા એ જોવા આવી રહ્યાં છે કે લોકો હજું પણ જીવતા છે કે નહીં.? નાયડૂએ કહ્યું કે રાજ્ય સરકારને અસ્થિર કરવા માટે ષડયંત્ર ઘડવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news